બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Vastadi-Chuda bridge collapsed, construction on walk in Rajkot
Vishal Khamar
Last Updated: 10:30 PM, 25 September 2023
આપણા વ્યક્તિગત કે જાહેર જીવનમાં આપણે એક શબ્દ વારંવાર સાંભળ્યો હતો અને હજુ પણ સાંભળી રહ્યા છીએ અને તે શબ્દ છે સરકારી ખાતુ. આપણે કોઈ વ્યક્તિ કે સંસ્થા માટે એવું ઘણીવાર બોલીએ છીએ કે આમનું બધું સરકારી ખાતુ છે. જો આદર્શ સ્થિતિની વાત કરીએ તો આદર્શ સ્થિતિ એવી હોવી જોઈએ કે કોઈપણ સરકારી તંત્ર પોતાની જે આ રૂઢીગત છબી છે તેમાથી બહાર આવવા પ્રયાસ કરે. જેની સામે તદ્દન ઉલ્ટી પરિસ્થિતિ એવી છે કે સરકારી તંત્ર સુધરવાને બદલે દિવસે ને દિવસે ખાડે જતું હોય એવુ જ બને છે.
સુરેન્દ્રનગર અને રાજકોટ. સુરેન્દ્રનગરના વસ્તડી ગામનો બ્રિજ ધરાશાયી થઈ ગયો. બ્રિજ કયા કારણોથી ધરાશાયી થયો તેની ચર્ચા તો કરીશું પરંતુ બ્રિજ ધરાશાયી થયા પછી જવાબદારીઓ એકબીજા ઉપર ઢોળવાનો જે સિલસિલો ચાલ્યો તે વધારે શરમજનક હતો. એક વિભાગ કહે છે કે અમે ચેતવણીના બોર્ડ મુક્યા હતા તો એક જવાબદાર વ્યક્તિ એવુ કહે છે કે આ જવાબદારી મારી નહીં પરંતુ બીજાની છે. ગામનો સરપંચ પણ બ્રિજની સ્થિતિ અંગે અવારનવાર ધ્યાન દોરે છે. પરંતુ બ્રિજની આજુબાજુ માત્ર બેરિકેટિંગ મુકીને સંતોષ માની લેવાય છે.
રાજકોટના સર્વેશ્વર ચોક પાસે સ્લેબ ધરાશાયી થયો તેમા પણ અનેક ખુલાસાઓ સામે આવ્યા. ગંભીર ખુલાસો એ હતો કે આ સ્લેબ વર્ષો પહેલાના એક વોકળા ઉપર ઉભી કરી દેવાયો હતો અને જે રીતે સ્લેબ ઉભો કરાયો હતો તેમાં મહાપાલિકાએ મુકેલી શરતનું પાલન નહતું થતું. અહીં પણ એવુ જ થયું કે જેમાં અંતિમ જવાબદારી કોની તે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યાં સુધી તો નક્કી થયું જ નથી. આજના મહામંથનનો પાયાનો પ્રશ્ન એટલો જ છે કે નબળું બાંધકામ જો ધરાશાયી થઈ જાય અને તમામ જવાબદારો જો બેજવાબદારો જેવું જ વર્તન કરે તો આવા બેજવાબદારોની જવાબદારી આખરે લેશે કોણ?
સુરેન્દ્રનગરમાં શું બન્યું?
સુરેન્દ્રનગરના વસ્તડી ગામનો બ્રિજ ધરાશાયી થયો હતો. વસ્તડીનો બ્રિજ 110 ગામને જોડતો હતો. બ્રિજ જર્જરીત હોવાથી ધરાશાયી થયો હતો.બ્રિજ ઉપરથી પસાર થતું ડમ્પર નદીમાં ખાબક્યું હતું. ચાર લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા.
સરપંચના આક્ષેપ શું હતા?
વસ્તડી-ચુડાનો પુલ તૂટવા મુદ્દે સરપંચ ઘનશ્યામ ગોહિલે ગંભીર આક્ષેપ કર્યા છે. 40 થી 50 જેટલા ઓવરલોડ વાહનો અહીંથી પસાર થતા હતા. એક વર્ષ પહેલા જવાબદારોને રજૂઆત કરી હતી. હેવી લોડ વાહનો ચાલતા હોવાથી ગ્રામજનોએ પણ વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ અનેકવાર વાહન અટકાવ્યા હતા. અને 6 મહિના પહેલા બેરિકેટિંગ કરાયું હતું.
આખરે જવાબદારી કોની?
રોયલ્ટી ઈન્સ્પેક્ટર
ડેપ્યુટી ઈજનેર R&B વિભાગ
કલેક્ટર, સુરેન્દ્રનગર
ધારાસભ્ય, વઢવાણ
પ્રાંત અધિકારી
રાજકોટમાં શું બન્યું?
રાજકોટના સર્વેશ્વર ચોક પાસેનો સ્લેબ ધરાશાયી થયો. દુર્ઘટનામાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. જે સ્લેબ ધસી પડ્યો તે વોકળા ઉપર બનાવવામાં આવ્યો હતો. વોકળાને લીધે બાંધકામ નબળું પડ્યું અને અંતે દુર્ઘટના બની. હંમેશની જેમ આ કિસ્સામાં પણ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલ્યો હતો. છેલ્લી જવાબદારી કોની તે નક્કી થઈ શક્યું નથી. સિટી ઈજનેરને પૂછવામાં આવ્યું તો કહ્યું કે બાંધકામ અંગે ખ્યાલ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh