બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / urvashi rautela sent legal notice of defamation to umair sandhu for controversial tweet akhil akkineni
Manisha Jogi
Last Updated: 02:25 PM, 23 April 2023
ફિલ્મ ક્રિટિક તરીકે ઓળખ આપનાર ઉમૈર સંધૂ ફરી એકવાર ખોટા ન્યૂઝ ફેલાવવાના કારણે બોલીવુડ એક્ટ્રેસના નિશાના પર આવી ગયા છે. એક વ્યક્તિએ ઉર્વશી રૌતેલા બાબતે દાવો કર્યો છે કે, સાઉથ એક્ટર અખિલ અક્કીનેની અભિનેત્રી ઉર્વશી રૌતેલાને પરેશાન કરી રહ્યા છે. આ બાબતે ઉર્વશી રૌતેલા ખૂબ જ ગુસ્સે થઈ છે અને બાબતને ખોટી ગણાવીને ઉમૈર સામે કાયદાકીય કાર્યવાહી કરી છે.
લીગલ એક્શન
ઉર્વશી રૌતેલાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કર્યો છે, જેમાં તેઓ જણાવે છે કે, ઉમૈર સંધૂ નામના વ્યક્તિને લીગલ નોટિસ પણ મોકલી છે. ઉર્વશીએ પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘મારી લીગલ ટીમે તરફથી તમને લીગલ નોટિસ મોકલવામાં આવી છે. તમારા જેવા અભદ્ર પત્રકાર, તમારા નકલી અને હાસ્યાસ્પદ ટ્વિટના કારણે હું નારાજ છું. તમે મારા અધિકૃત પ્રવક્તા નથી, તમે એક ઈમેચ્યોર પત્રકાર છો, જેના કારણે મને અને મારા પરિવારને અનકમ્ફર્ટેબલ ફીલ થયું છે.’
અભિનેત્રીએ ઉમૈરના એક ટ્વિટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે, એજન્ટ ફિલ્મના શુટીંગ દરમિયાન અખિલ અક્કીનેનીએ બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને હૈરેસ કરી છે. આ ફિલ્મનું શુટીંગ યૂરોપમાં કરવામાં આવી રહ્યું છે. અભિનેત્રી ઉમૈરના આ ટ્વિટને ફેર ગણાવી રહી છે અને લીગલ નોટિસ મોકલી છે.
સેલિનાએ આપ્યો હતો જડબાતોડ જવાબ
અગાઉ પણ ઉમૈરે ઉર્વશી બાબતે એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે અભિનેત્રીના કેરેક્ટર પર સવાલ ઊભા કર્યા હતા. કેઆરકેએ પણ આ ટ્વિટ રિટ્વિટ કર્યું હતું. ઉમૈરે સેલિના જેટલી બાબતે પણ વિવાદિત ટીપ્પણી કરી હતી. આ બાબતે પણ અભિનેત્રીએ ઉમૈર સંધૂને જડબાતોડ જવાબ આપ્યો હતો કે, ‘ડિયર મિ.સંધૂ આશા છે, આ પોસ્ટના કારણે તમારા મર્દ બનવાની જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ હશે. તમને તમારી નપુંસકતાનો ઈલાજ થવાની આશા હશે.’
હાલમાં ઉર્વશી રૌતેલા નાગાર્જુનના પુત્ર અખિલ અક્કીનેની સાથે પૈન ઈન્ડિયા ફિલ્મ એજન્ટ પર કામ કરી રહી છે. આ ફિલ્મમાં મમૂટી લીડ રોલમાં હશે. આ ફિલ્મનું બજેટ 100 કરોડનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ એક ઈન્ડિયન સ્પાઈ થ્રિલર ફિલ્મ હશે, જે સુરેન્દ્ર રેડ્ડી ડાયરેક્ટ કરી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh