બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Vaidehi
Last Updated: 09:44 AM, 13 May 2023
ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2023ની મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવે ચૂંટણી આયોગની કામગિરીને લઈને ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે દરેક રાઉન્ડની મતગણતરી બાદ ચૂંટણી પંચ આંકડાઓ જાહેર કરે જેથી તેમના પર વિશ્વાસ જળવાઈ રહે.
નગર નિગમ મેયરની 16 બેઠકોમાં ભાજપ આગળ દેખાઈ રહ્યું છે જ્યારે સપાનાં ખાતામાં 0 સીટ દેખાઈ રહી છે. નગર નિગમ કાઉન્સિલરની 15 સીટોમાં ભાજપનો ઝંડો લહેરાતો દેખાય છે અને સપા 8 સીટો પર વિજય મેળવી શકે છે. અન્યનાં ખાતામાં 13 બેઠકો દેખાઈ રહી છે.
મેયર:
ભાજપ: 16
સપા: 0
બસપા:1
અન્ય: 0
નગરપાલિકા પ્રમુખ:
ભાજપ: 23
સપા: 27
બસપા: 6
અન્ય: 13
आशा है चुनाव आयोग हर एक राउंड के बाद आँकड़े बताता जाएगा जिससे जन विश्वास बना रहे।
— Akhilesh Yadav (@yadavakhilesh) May 13, 2023
અખિલેશ યાદવે કર્યું ટ્વિટ
UPનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વિટર પર લખ્યું કે,' આશા છે કે ચૂંટણી પંચ દરેક રાઉન્ડ બાદ આંકડાઓ જણાવતું આવશે જેના લીધે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે .'
પરિણામો આજે થશે જાહેર
UPમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2023નાં પરિણામો આજે ઘોષિત કરવામાં આવશે. પ્રદેશનાં 760 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 4 મે અને 11 મેનાં રોજ 2 ચરણોમાં વોટિંગ કરવામાં આવી હતી. પહેલા ચરણમાં 52% જ્યારે બીજાં ચરણમાં 53% વોટિંગ થઈ હતી. UP સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 2024 માટે લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહ્યું છે. BJP, સપા, બસપા, કોંગ્રેસ સહિત તમામ રાજનૈતિક પાર્ટીઓ આ ચૂંટણીનાં પરિણામોની રાહ જોઈ રહી છે.
કુલ 760 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી 17 મહાનગરપાલિકા, 199 નગરપાલિકા અને 544 નગર પંચાયત શામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir