બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Two sisters commit suicide in Vadodara

દુઃખદ / વડોદરામાં બે બહેનોના આપઘાતથી અરેરાટી: આઠમા માળેથી એકસાથે પડતું મૂક્યું, પરિજનોનું હૈયાફાટ રુદન-પોલીસ તપાસ શરૂ

Vishal Khamar

Last Updated: 06:31 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાનાં અટલાદરા વિસ્તારમાં રહેતી બે પિતરાઈ સગીર બહેનોએ અગમ્ય કારણસર બિલ્ડિંગની છત પરથી કૂદી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી.આ બાબતે માંજલપુર પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી મૃતદેહને પી.એમ અર્થે મોકલી તપાસ શરૂ કરી હતી.

  • વડોદરાનાં અટલાદરા વિસ્તારમાં બે બહેનોએ આઠમાં માળેથી ઝંપલાવ્યું
  • પિતરાઈ બહેનોએ આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ
  • માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

 વડોદરાનાં અટલાદર વિસ્તારમાં આવેલ માધવનગરમાં વુડાનાં મકાનમાં રહેતી બે પિતરાઈ બહેનોએ આઠમા માળેથી કૂદી આપઘાત કરી લેતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ જવા પામ્યો હતો. બે પિતરાઈ બહેનોએ એક સાથે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો.  આપઘાત કરનાર એક યુવતીની ઉંમર 13 વર્ષ જ્યારે બીજી યુવતીની ઉંમર 15 વર્ષ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. આ બાબતે માંજલપુર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાં સ્થળે પહોંચી બંને મૃતદેહને પીએમ અર્થે મોકલી  તપાસ હાથ ધરી છે.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
વડોદરાનાં અટાલાદર વિસ્તારમાં બે પિતરાઈ બહેનોએ સાતમાં માળેથી કૂદી મોતને વ્હાલુ કરતા સમગ્ર વિસ્તારમાં આ મુદ્દો આખો દિવસ ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો. આ બાબતે માંજલપુર પોલીસે ગુનો નોંધ્યો છે. તેમજ બંને બહેનો દ્વારા એક આપઘાત કર્યો તેની પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેકનીય છે કે, બંને બહેનો ખૂબ ગરીબ પરિવારમાંથી આવતી હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે.

રાજુભાઈ ઠક્કર (અગ્રણી)

યુવતીના માતા-પિતા બહાર વ્યવસાય કરે છેઃ રાજુભાઈ ઠક્કર (અગ્રણી)
આ બાબતે  સ્થાનિક અગ્રણી રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, નજરે જોનાર વ્યક્તિઓએ જણાવ્યું હતું કે પહેલા તો એવું જ લાગ્યું હતું કે, આ દિકરીઓ અહીંયા રહેતી જ નથી.  જે બાદ મારા પર ફોન આવ્યો હતો. પોલીસ આવ્યા બાદ તપાસ હાથ ધરતા માલુમ પડ્યું કે યુવતીનાં મા-બાપ બહાર વ્યવસાય કરે છે. તેમની દિકરીઓ છે. તેમજ બંને દિકરીઓનાં ધાબા પરથી ચપ્પલ પણ મળી આવેલ છે. ત્યારે બંને દિકરીઓ એક જ પરિવારની છે.  ત્યારે ઘરની કંઈ નાની મોટી તકલીફ હોય અથવા કંઈ થયું હોય.  પરંતું શા કારણે બંને સગીર યુવતીઓએ આપઘાત કર્યો તે પોલીસ તપાસમાં બહાર આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ