બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / two patients die of new strain of fungus at aiims
Kavan
Last Updated: 04:34 PM, 23 November 2021
દિલ્હી એઈમ્સના ડોક્ટરે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલમનરી ડિસિઝ(COPD)થી પીડિત 2 દર્દીઓમાં એસ્પરગિલસ લેંટુલસ(Aspergillus lentulus)ની પુષ્ટી કરી છે. ચિંતાની વાત એ છે કે, તમામ પ્રયાસો છતાં પણ ફંગસના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયેલા દર્દીઓને બચાવી શકાયા નહોંતા અને બંન્નેનું સારવાર દરમિયાન જ મોત થયું હતું.
મૃત્યુદરમાં વધારો
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, Aspergillus lentulus ખરેખર એસ્પરગિલસ ફંગસની જ એક પ્રજાતિ છે જે ફેફસાને સંક્રમિત કરે છે, ફંગસના અન્ય સ્ટ્રેનની તુલનામાં તેનાથી થતો મૃત્યુદર વધુ હોય છે કારણ કે, આ ફેફસાને સંક્રમિત કરે છે, વિદેશમાં પણ કેટલાક કિસ્સાઓ નોંધાયા છે, જો કે, ડોક્ટર્સનું માનવું છે કે, ભારતમાં આ નવા સ્ટ્રેનની પ્રથમ ઘટના છે, ફંગસનો આ નવો સ્ટ્રેન પ્રથમ વખત 2005માં જોવા મળ્યો હતો.
પ્રથમ દર્દીની 50થી 60 વર્ષની ઉંમર
ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ માઈક્રોબાયોલોજીમાં પ્રસિદ્ધ થયેલ રિપોર્ટ પ્રમાણે, જે 2 દર્દીઓમાં ફંગસનો આ નવો સ્ટ્રેન જોવા મળ્યો છે તેમાં એકની ઉંમર 50થી 60 વર્ષની હતી, જ્યારે અન્યની ઉંમર 45 વર્ષથી ઓછી હતી. આ પહેલા દર્દીઓની પ્રાથમિક સારવાર કોઈ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. જો કે, તબિયતમાં કોઈ સુધારો જોવા નહીં મળતા બંન્ને એઈમ્સમાં ખસેડવામાં આવ્યા હતા.
ઈન્જેક્શનની કોઈપણ અસર નહીં
દર્દીને Amphotericin B અને ઓરલ Voriconazole ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા પરંતુ તેની કોઈપણ પ્રકારની અસર જોવા મળી નહીં, ઈંન્જેક્શન આપ્યા બાદ આશરે એક મહિના સુધી દર્દીની તબિયતમાં કોઈપણ પ્રકારનો સુધારો જોવા મળ્યો નહોંતો અને અંતે તેનું મોત થયું હતું. તો અન્ય એક દર્દીને તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને એઈમ્સમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આશરે એક અઠવાડિયું સારવાર લીધા બાદ શરીરના કેટલાક અંગો કામ કરતા બંધ થઈ જતાં તેનું મોત નિપજ્યું હતું.
24 કલાકમાં આવતા કેસ ગત 543 દિવસના સૌથી ઓછા
મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર ભારતમાં ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના 7579 નવા મામલા સામે આવ્યા છે. મંત્રાલયે જાણકારી આપી છે કે આ ગત 543 દિવસમાં સૌથી ઓછા છે. ત્યારે ગત 24 કલાકમાં દેશમાં 236 લોકોના મોત થયા છે.
સોમવારે રસીકરણનો કુલ આંક 117.63ને પાર થયો
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં આ સમય કોરોના સંક્રમણ સક્રિય મામલા 1, 13, 584 છે. ગત 537 દિવસમાં સૌથી ઓછા છે. આ દેશમાં કુલ મામલાના 0.33 ટકા છે. ગત 24 કલાકમાં 12, 202 લોકો સાજા થયા છે. તો સોમવારે રસીકરણનો કુલ આંક 117.63ને પાર થયો છે.
મંગળવારે સવારે 7 વાગ્યા સુધીમાં દેશમાં 1,17,63,73,499 રસીના ડોઝ લાગ્યા
મંત્રાલયે કહ્યું છે કે મંગળવારે સવારે 7 વાગ્યા સુધીમાં દેશમાં 1,17,63,73,499 રસીના ડોઝ લાગ્યા છે. સોમવારે સાંજે 7 વાગે રસીના 63 લાખથી વધારે (63,98,165) ડોઝ અપાઈ ચૂક્યા છે. કોરોનાની સામે રસીકરણ અભિયાન ખૂબ મહત્વનું છે. જેથી તેની નિયમિત રીતે સમીક્ષા અને ઓબ્જર્વેશન કરવામાં આવી રહ્યું છે.
એક દિવસમાં કોરોનાના 84,88 નવા મામલા
ત્યારે સોમવારે જારી આંકડા અનુસાર ભારતમાં એક દિવસમાં કોરોનાના 84,88 નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણની સંખ્યા વધીને 3,45,18,901 થઈ ગઈ હતી. સોમવારે જાણકારી આપવામાં આવી છે કે 538 દિવસમાં સામે આવેલા સૌથી ઓછા દૈનિક મામલા હતા.
દેશમાં શું રહી કોરોનાની સ્થિતિ
દેશમાં ગત વર્ષ 7 ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધારે થઈ ગઈ હતી. ત્યારે સંક્રમણના કુલ મામલા 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર થયા છે. દેશમાં 19 ડિસેમ્બરે આ મામલા એક કરોડને પાર , આ વર્ષે 4 મેમાં 2 કરોડને પાર અને 23 જૂને 3 કરોડને પાર ચાલ્યા ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir