બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Tragic news on first day of 2023: 9 people burnt, fire department operation started

દુર્ઘટના / 2023ના પહેલા જ દિવસે દુ:ખદ સમાચાર: 9 લોકો દાઝ્યા, ફાયરવિભાગનું ઓપરેશન શરૂ

Priyakant

Last Updated: 03:55 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારે લગભગ 11 વાગે અચાનક જોરદાર વિસ્ફોટથી અફરાતફરીનો માહોલ

  • મહારાષ્ટ્રના નાસિકમાં વર્ષના પ્રથમ દિવસે મોટી દુર્ઘટના
  • જિંદાલ કંપનીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો
  • દુર્ઘટનામાં 9 વ્યક્તિ જીવતા ભુંઝાઇ જતાં ચકચાર 

મહારાષ્ટ્રના નાસિકમાં વર્ષના પ્રથમ દિવસે એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. નાસિક-મુંબઈ હાઈવે પર સ્થિત ગોંડે ગામમાં જિંદાલ કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 9 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. આ અકસ્માત સવારે લગભગ 11 વાગે થયો હતો. આ કંપનીનું બોઈલર ફાટતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે તેની અસર 20 થી 25 ગામોમાં અનુભવાઈ હતી. 

આ કંપની બંધ વિસ્તારમાં હોવાથી હજુ સુધી સંપૂર્ણ માહિતી બહાર આવી નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આગમાં દાઝી ગયેલા લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર ટેન્ડરો સ્થળ પર આગ ઓલવવામાં રોકાયેલા છે. જિલ્લા કલેક્ટર ગંગાધરન ડી અને પોલીસ એસપી શાહજી ઉમપ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર અધિકારીઓએ જણાવ્યું કે, આગ ભીષણ રીતે ફેલાઈ રહી છે. કારખાનામાં કાચા માલના પ્રકારને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ રહી છે. તેથી આગ પર કાબૂ મેળવવામાં વધુ સમય લાગી શકે છે. આગ લાગવાનું કારણ શું છે, તે હજુ જાણી શકાયું નથી.

આ તરફ અધિકારીઓના જણાવ્યા અનુસાર જિંદાલ ગ્રુપની આ કંપની ઇગતપુરીના મુંધેગાંવ પાસે છે. અચાનક સવારે કારખાનામાં જોરદાર વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી. ત્યાં હાજર કામદારો કંઈ સમજે ત્યાં સુધીમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને થોડી જ વારમાં ઘણા લોકો ઘાયલ થઈ ગયા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને બ્લાસ્ટ બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. મળતી માહિતી મુજબ કંપનીની હાલત ગંભીર છે. આગના કારણે ફેક્ટરીમાં વારંવાર વિસ્ફોટ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ