બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 09:09 PM, 28 May 2023
બાગેશ્વર સરકાર તરીકે ઓળખાતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા 3-4 દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે.આ દરમિયાન તેઓ અમદાવાદ, સુરત સહિતના જુદા જુદા સ્થળોએ દરબાર યોજી રહ્યા છે. ત્યારે વરસાદ વેરી બનતા અમદાવાદના ઓગણજમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રોગ્રામ કેન્સલ કરવાની નોબત આવી હતી. ધમાકેદાર વરસાદને કારણે લોકો અધવચ્ચે કાર્યક્રમથી બહાર દોડી આવ્યા હતા. મહત્વનું છે કે ભારે ભવન સાથે વરસાદથી મંડપમાં પાણી ઘૂસી જતા અવ્યવસ્થાથી સર્જાઈ હતી. લોકોએ વરસાદથી બચવા ખુરશીઓ માથે ઓઢી હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા.
ઓગણજમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજનો પ્રોગ્રામ કેન્સલ, મંડપ પાણી પાણી, વરસાદને કારણે લોકો અધવચ્ચે કાર્યક્રમથી બહાર નિકળ્યા, કલાકાર કિંજલ દવે, હિંદુ મહાસભાના સંતો પણ રવાના#ognaj #Rain #vtvgujarati pic.twitter.com/4qf4un3f5G
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 28, 2023
લોકો અધવચ્ચ્ચે કાર્યક્રમથી બહાર નિકળ્યા
ઓગણજમાં બાબાના પ્રોગ્રામને લઈને કલાકાર કિંજલ દવે, હિંદુ મહાસભાના સંતો સહિતના અનેક આગેવાનો આવ્યા હતા. આ દરમિયાન ઓગણજમાં ભારે ભવન સાથે વરસાદે તોફાની બેટિંગ શરૂ કરતા હિંદુ અગ્રણીઓ પણ કાર્યક્રમ અધવચ્ચે મૂકીને રવાના થઈ ગયા હતા. મહત્વનું છે કે આજનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો છે. જોકે આવતીકાલે પણ દરબાર અંગે આયોજન કરાયું હતું. જોકે આવતીકાલ (તા.29 મેં) ના આયોજન અંગે આયોજકો દ્વારા સત્તાવાર રીતે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી! જો વરસાદી વિધ્ન ન આવે તો 29 મેનો કાર્યક્રમ રાબેતા મુજબ યોજાઇ શકે છે.
ઓગણજ, ચાંદખેડા, ગોતા, થલતેજ, શીલજ, બોપલમાં વરસાદ
આજે સાંજે 6 :30 વાગ્યા બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. બાદમાં અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે સેટેલાઈટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. બાદમાં બોડકદેવ, ઈસનપુર, શાહપુર,જશોદાનગર હાટકેશ્વર, બોપલ, ઘુમા, શીલજ, જીવરાજપાર્ક, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વાડજ, અખબારનગર, RTO સર્કલ, ચાંદખેડા, વસ્ત્રાલ, ખાડિયા, મણિનગર,રાયપુરમાં વરસાદ પડતા માર્ગો પરથી પાણી ચાલતા થયા હતા.બીજી તરફ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh