બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 03:34 PM, 15 June 2023
Thursday upay for marriage: મનગમતો જીવનસાથી મળે તે દરેક યુવતીનું સપનું હોય છે. પરંતુ ક્યારેક ગ્રહોની સ્થિતિ એટલી વિપરિત હોય છે કે લગ્નની ઉંમર થઈ ગયા પછી પણ યોગ નથી બની શકતા. કાં તો સારો વર નથી મળતો અથવા તો કેટલીક વાર ખાતરી થયા પછી પણ સંબંધ તૂટી જાય છે. આનાથી મન ખૂબ દુઃખી થાય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં ગુરુવાર માટે આવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી અપરિણીત છોકરીઓના લગ્નમાં આવતી અડચણો દૂર થઈ શકે છે.
ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી માત્ર ધનમાં વધારો જ નથી થતો, પરંતુ વિવાહિત મહિલાઓને સુખ અને સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. ગુરુવારે વ્રત અને પૂજા કરવાથી કુંડળીમાં ગુરુની નબળી સ્થિતિ મજબૂત બને છે. સાથે નોકરી ધંધામાં ઈચ્છિત સફળતા પણ પ્રાપ્ત થાય છે. ગુરુવારે આ ઉપાય કરવાથી અવિવાહિત કન્યાઓને મનગમતો વર મળે છે.
1. જો અપરિણીત છોકરીઓ ગુરુવારે પીળા ચણાની દાળનું દાન કરે તો તેનાથી સુખ-સમૃદ્ધિ તો મળે જ છે, પરંતુ તેમના લગ્નજીવનમાં આવતી અડચણો પણ દૂર થાય છે. અવિવાહિત છોકરીઓએ આ ઉપાય અવશ્ય કરવો.
2. જો કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી હોય તો અવિવાહિત કન્યાઓએ પીળા રંગના કપડા જરૂરિયાતમંદોને દાન કરવા જોઈએ. આમ કરવાથી તેમના લગ્નનો યોગ બનવા લાગશે અને ભગવાન વિષ્ણુ લગ્નની વચ્ચે આવનારી અડચણો દૂર કરશે.
3. જરૂરિયાતમંદ બાળકોને સ્ટેશનરીનું દાન કરવું એ પણ સારો ઉપાય છે. બાળકોને ભણાવવાથી પણ ગુરુ બળવાન બને છે. જો લગ્નનો યોગ નથી બની રહ્યો તો ગુરુવારે આ ઉપાય અવશ્ય કરો.
4. જો અપરિણીત છોકરીઓ પીળા ચંદનનું દાન કરે છે, તો લગ્નમાં આવનારી અડચણોને દૂર કરવાનો પણ આ એક સારો ઉપાય છે. ગરીબ અને ભૂખ્યાને ભોજન કરાવવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ પણ મજબૂત બને છે.
5. લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરો અને પીળા રંગનું (પીળા રંગની વાનગીઓ) ભોજન કરો. સાથે જ પીળા વસ્ત્રોનું દાન કરો. આ દિવસે બને ત્યાં સુધી પીળી વસ્તુઓનો ઉપયોગ કરો. જેના કારણે હાથ પીળા થવાના યોગ પણ જલ્દી બનશે.
6. લગ્નજીવનમાં સમસ્યા આવી રહી હોય કે લગ્ન ના થતા હોય તો ગુરુવારે પાણીમાં એક ચપટી હળદર મિક્સ કરીને સ્નાન કરો. આ સાથે શ્રી હરિ ટૂંક સમયમાં યોગ્ય વરની શોધ પૂર્ણ કરશે.
7. ગુરુવારે ભગવાન વિષ્ણુને હળદર અર્પણ કરવી એ પણ સારો ઉપાય છે. 11 ગુરુવાર સુધી ભગવાનને હળદરનું તિલક લગાવવાથી લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh