બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Three more shocking names in land mafia scandal in Rajkot police sabotage scandal
Mehul
Last Updated: 04:39 PM, 18 February 2022
રાજકોટમાં પોલીસ તોડ કાંડ વખતે જ ભૂ માફિયાના કેસ સામે આવ્યા હતા. હવે આ ક્રાઈમ બ્રાંચ તોડ કાંડ જેવો જ મામલો ભૂ-માફિયાનો બન્યો છે. રાજકોટમાં જમીન પડાવા મુદ્દે માથાફરેલા શાખોની ગેંગ કાર્યરત હોય તેમ ધાક-ધમકી અને બળજબરીથી કરોડોની કિમતની મોકાની જમીન પડાવતા હોવાની વાત સામે આવતા કેટલાય સવાલો ઉઠ્યા છે. રાજ્કોટના રાધેકૃષ્ણ સોસાયટીમાં ભૂમાફિયાના આતંકનો મામલે સોસાયટી ખાલી કરાવવાના આરોપની ફરિયાદમાં વધુ 3 નામ ઉમેરાતા ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં જે ત્રણ નામ સામે આવ્યા છે તેમાં ભરત સોશા ઉર્ફે ભૂરો, મયૂરસિંહ જાડેજા, અમિત ભાણવડીયાનું નામ ઉમેરાયું છે. આરોપી અમિત ભાણવડીયા કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુએ યોજેલા લોક દરબારમાં પણ બેઠો હોવાની ચર્ચા છે. અમિત ભાણવડિયાના પણ હાર્દિક સાથેના ફોટા વાયરલ થયા છે.
અગાઉ કોની કોની ધરપકડ થઇ?
સોસાયટીઓ પડાવતા માફિયા હત્યા સુધી પહોચ્યા
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં મકાન ઓછી કિંમતે વહેંચી ખાલી કરાવવા બાબતે ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અને તે માટે સોસાયટીની બહાર પોલીસ રક્ષણની પણ માંગ કરવામાં આવી છે. જો કે,થોડા દિવસ પહેલા ભૂમાફિયાઓ ગુંડાઓની 5 જેટલા શખ્સો નશાની હાલતમાં ધસી આવી સ્થાનિકો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં અવિનાશ ધુલેશિયા વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેનું ગત રોજ ટૂંકી સારવાર દરમિયાન ઇજાગ્રસ્તને દમ તોડી દેતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે.
મૃતકના પરિવારજનોએ નથી સ્વીકાર્યો મૃતદેહ, DCP સાથે બેઠક બાદ પરિવારજનોમાં રોષ યથાવત
રાજકોટમાં ભૂમાફિયાનો આતંક વધી રહ્યો છે. ભૂમાફિયાના હુમલામાં રાધે ક્રિષ્ના સોસાયટીના અવિનેશ ધુલેશિયાનું મૃત્યુ થયું છે. મૃતકના પરિવારજનોની માગ છે કે આરોપીઓને કડક સજા કરવામાં આવે. આ માગ સાથે પરિવારજનોએ હજુ સુધી મૃતકનો મૃતદેહ સ્વીકાર્યો નથી. પરિવારજનોએ DCP સાથે બેઠક બાદ પણ મૃતદેહ સ્વીકાર્યો નથી. પરિવારજનો પોસ્ટમોર્ટમ રૂમ બહાર બેઠા છે. રાધે ક્રિષ્ના સોસાયટીમાં મકાન પચાવી પાડવા માટે ભૂમાફિયાઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં અવિનેશ ધુલેશિયાને ગંભીર ઈજા પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
ભૂમાફિયાઓના આતંકના CCTV પણ સામે આવ્યા
થોડા દિવસ પૂર્વે મોડી રાત્રે 5 જેટલા ભૂમાફિયાઓએ નશાની હાલતમાં હંગામો મચાવ્યો હતો. સોસાયટીવાસીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જે બાદ પોલીસે આરોપીઓ સામે હત્યાની કોશિશની કલમો મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હવે બનાવ હત્યામાં પલટાતા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh