બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / 'Threatened to shut down Twitter in India', alleges Jack Dorsey, Modi government responded immediately
Megha
Last Updated: 10:12 AM, 13 June 2023
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીએ મોટો આરોપ લગાવ્યો છે. જણાવી દઈએ કે જેક ડોર્સીનું કહેવું છે કે ભારતમાં કૃષિ કાયદાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે ઘણા ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરવાની સૂચના આપી હતી. ડોર્સીએ દાવો કર્યો હતો કે ભારત સરકાર દ્વારા તેના પર દબાણ કરવામાં આવ્યું હતું અને તેણે ભારતમાં ટ્વિટર બંધ કરવાની ધમકી આપી હતી. જો કે સરકારે જેક ડોર્સીના આરોપોને ખોટા ગણાવ્યા છે.
This is Jack Dorsey, former CEO of twitter.
— Dr Nimo Yadav (@niiravmodi) June 12, 2023
Here he is saying “During farmer protest Indian govt pressurised us and said we will shut down twitter, raid the homes of your employees if you don’t follow the suite”
And India is world’s largest democracy.
This is not my India 💔 pic.twitter.com/yiiTtqUDYp
ખેડૂત આંદોલનને સપોર્ટ કરતાં એકાઉન્ટ બ્લોક કરો
ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ એક વીડિયો ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે તેમની કંપનીને ભારતમાંથી ઘણી વિનંતીઓ મળી હતી, જેમાં તેને ખેડૂત આંદોલનને આવરી લેતા એકાઉન્ટને બ્લોક કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે તે એકાઉન્ટ પણ બંધ કરવાની વિનંતી કરવામાં આવી હતી, જેઓ આંદોલન માટે સરકારનો વિરોધ કરી રહ્યા હતા. વાસ્તવમાં, યુટ્યુબ ચેનલ બ્રેકિંગ પોઈન્ટ્સ સાથેના ઈન્ટરવ્યુ દરમિયાન જેક ડોર્સીએ આ વિશે જણાવ્યું હતું. હાલ તેને ટ્વિટર પર આ વીડિયો ક્લિપ ટ્વીટ કરી છે.
જે પત્રકારો સરકારની ટીકા જરએ તેના એકાઉન્ટ બ્લોક કરો
ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે જેક ડોર્સીને પૂછવામાં આવ્યું કે શું તમને પાછલા વર્ષોમાં વિદેશી સરકારોના દબાણનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે તેના જવાબમાં જેક ડોર્સીએ કહ્યું છે કે ભારતને ઉદાહરણ તરીકે લઈએ, જ્યાંથી અમને આવી ઘણી વિનંતીઓ મળી હતી, જેમાં ખેડૂતોના વિરોધને લઈને રિક્વેસ્ટ કરવામાં આવી હતી. ખાસ કરીને જે પત્રકારો સરકારની ટીકા કરી રહ્યા હતા તેમના એકાઉન્ટ્સનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તેમને એવું લાગી રહ્યું છે કે જો ટ્વિટર આવું નહીં કરે તો ભારતમાં ટ્વિટર બંધ થઈ જશે અને ભારતમાં સ્થિત ટ્વિટર કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવામાં આવશે.
This is an outright lie by @jack - perhaps an attempt to brush out that very dubious period of twitters history
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) June 13, 2023
Facts and truth@twitter undr Dorsey n his team were in repeated n continuous violations of India law. As a matter of fact they were in non-compliance with law… https://t.co/SlzmTcS3Fa
ટ્વિટર ઓફિસ બંધ કરવાની ચીમકી આપી હતી
બહારની લઈને આગળ ડોર્સીએ કહ્યું કે 'સરકાર દ્વારા તેમના કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવાની વાત થઈ હતી. તેમજ નિયમોનું પાલન ન કરવા બદલ ઓફિસ બંધ કરવાની ચીમકી આપી હતી અને આ બધું ભારત જેવા લોકતાંત્રિક દેશમાં થયું છે.' એ જ રીતે ડોર્સીએ પણ તુર્કીનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે ત્યાં પણ સરકાર તરફથી તેમના દેશમાં ટ્વિટર બંધ કરવાની ધમકી આપવામાં આવી હતી. ડોર્સીએ કહ્યું કે તેમની કંપનીએ તુર્કીમાં સરકાર સામે અનેક મુકદ્દમા લડ્યા અને જીત્યા પણ છે.
સરકારે આરોપોને ખોટા ગણાવ્યા,
જેક ડોર્સીના આરોપો પર કેન્દ્ર સરકારનું નિવેદન પણ આવ્યું છે છે. જણાવી દઈએ કે કેન્દ્રીય IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લખ્યું કે, 'આ ટ્વિટરના ઈતિહાસના કાળા તબક્કાને સાફ કરવાનો પ્રયાસ છે, જ્યારે ટ્વિટર ડોર્સીના કાર્યકાળ દરમિયાન ભારતીય કાયદાનું સતત ઉલ્લંઘન કરી રહ્યું હતું. વર્ષ 2020 થી 2022 સુધી, ટ્વિટરે ભારતીય કાયદાઓ અનુસાર કામ કર્યું ન હતું અને જૂન 2022 થી ભારતીય કાયદાઓનું પાલન કરવાનું શરૂ કર્યું હતું.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh