બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 08:06 PM, 9 January 2023
નવું વર્ષ 2023 1 જાન્યુઆરીથી શરૂ થયું છે. પરંતુ હિન્દુ કેલેન્ડર વિક્રમ સંવત મુજબ, આ વખતે વિક્રમ સાવંત 2080નું વર્ષ હશે, જે 12ને બદલે 13 મહિનાનો હશે. આ હિસાબે 2023માં અધિકમાસ હશે. અધિક માસને મલમાસ અથવા પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
વ્રત અને તહેવારોની તારીખોમાં થશે ફેરફાર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અધિક માસના કારણે 2023માં વ્રત અને તહેવારોની તારીખોમાં ફેરફાર થશે. આ વર્ષે મકરસંક્રાંતિ પહેલા જ સકટ ચોથ આવશે. શ્રાવણમાં 4 નહિ પરંતુ 8 સોમવાર હશે અને ચાતુર્માસ 5 મહિનાનો હશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા આવો સંયોગ 2004માં બન્યો હતો. 19 વર્ષ બાદ 2023માં આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આવો જાણીએ મલમાસના કારણે ઉપવાસ અને તહેવારોની તારીખોમાં થયેલા ફેરફાર વિશે.
કઈ રીતે થાય છે મલમાસની ગણતરી
મલમાસ અથવા અધિકમાસના કારણે વર્ષ 2023માં તહેવારની તિથિઓમાં પરિવર્તન થઈ રહ્યો છે. પરંતુ સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે આખરે મલમાસની ગણતરી કઈ રીતે થાય છે. હકીકતે પંચાંગના આધાર પર દર ત્રીજા વર્ષમાં એક મહિનો વધારે હોય છે. જેને મલમાસ કહેવામાં આવે છે.
એક સૌર વર્ષ 365 દિવસ અને 6 કલાકનો હોય છે અને ચંદ્ર વર્ષ 354 દિવસનો હોય છે. એવામાં સૌર વર્ષ અને ચંદ્ર વર્ષની વચ્ચે અંતરને બરાબર કરવા માટે દર ત્રણ વર્ષમાં એક ચંદ્ર માસને તોડવામાં આવે છે. તેને જ મલમાસ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં મલમાસના સમયે શુભ-માંગલિક કાર્યો નથી કરવામાં આવતા. જણાવી દઈએ કે વર્ષ 2023માં મલમાસ 18 જુલાઈ 2023થી શરૂ થઈ રહ્યો છે.
મલમાસ 2023ના કારણે ઘણા વ્રત-તહેવારની તિથિઓમાં પરિવર્તન
મકરસંક્રાંતિ પહેલા સંકટ ચોથ
દર વર્ષે મકરસંક્રાંતિ પછી સકટ ચોથનું વ્રત આવે છે. પરંતુ 2023માં 10 જાન્યુઆરીના રોજ સંકટ ચોથ વ્રત અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે.
ચાતુર્માસ 5 મહિનાનો રહેશે
વર્ષ 2023માં ચાતુર્માસ 5 મહિનાનો રહેશે. જે સામાન્ય રીતે ચાર મહિનાનો હોય છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ આખા ચાર મહિના યોગ નિદ્રામાં હોય છે. પરંતુ આ વર્ષે ભગવાન વિષ્ણુ 5 મહિના સુધી યોગનિદ્રામાં રહેશે અને આ દરમિયાન ગૃહપ્રવેશ, મુંડન, લગ્ન, જનોઈ સંસ્કાર વગેરે જેવા શુભ કાર્યો થશે નહીં.
શ્રાવણના 8 સોમવાર હશે
સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં 4 કે 5 સોમવાર આવે છે. પરંતુ 2023માં 8 શ્રાવણ સોમવારના ઉપવાસ કરવામાં આવશે. કારણ કે પંચાંગ અનુસાર શ્રાવણ કૃષ્ણપક્ષ 4 થી 17 જુલાઈ સુધી છે અને તે પછી તે 18 જુલાઈથી અમલમાં આવશે. બીજી તરફ 16 ઓગસ્ટે માલમાસની અમાવાસ્યા રહેશે. આ દિવસે અધિક માસ સમાપ્ત થશે. આ પછી શ્રાવણનો શુક્લ પક્ષ શરૂ થશે, જે 30 ઓગસ્ટના રોજ, શ્રાવણ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થશે. આ રીતે શ્રાવણ માસમાં અધિક માસના કારણે 8 સોમવાર આવશે.
રક્ષાબંધનની તારીખમાં પણ ફેરફાર
2023માં રક્ષાબંધનની તારીખમાં પણ ફેરફાર થશે કારણ કે શ્રાવ બે મહિના એટલે કે 60 દિવસનો છે. આ વર્ષે, રક્ષાબંધન ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં એટલે કે 30 ઓગસ્ટે છે. જ્યારે રક્ષાબંધન સામાન્ય રીતે 10-15 ઓગસ્ટની વચ્ચે હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh