બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Think before you tell your children anything about poor results of exams, BJP leader's daughter took such a step in Jamnagar
Mehul
Last Updated: 05:50 PM, 9 December 2021
જામનગરમાં ભાજપના અગ્રણી નેતાની પુત્રીએ મોત વહાલું કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. પુત્રીને નાની શી બાબતમાં ઠપકો આપતા લાગી આવ્યું હોવાના પરિણામે આત્મહત્યા વહોરી લેતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતાનુસાર, 12 માં ધોરણ ( કોમર્સ) માં અભ્યાસ કરતી પુત્રી પરીક્ષામાં નાપાસ થઇ હતી. તો પિતાએ, નાપાસ કેમ થઇ ? તેવું પૂછતા પુત્રીને લાગી આવ્યું હતું. અને ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી લીધી હતી
ભાજપના અગ્રણી નેતા અને શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવાનાં પુત્રી પ્રતીક્ષાબાએ, બુધવારે સવારના સમયે પોતાના નિવાસ સ્થાન ગોકુલધામ સોસાયટી-4 માં ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી હતી. પ્રતીક્ષાબા ને,તુરંત જ સારવાર માટે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ફરજ પરના તબીબ્નોએ તેમને મૃતક ઘોષિત કરતા શોકની લહેર ફરી વળી હતી. ઘટનાની જાણ થતા જ ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિહં જાડેજા ઉર્ફે હકુભા જાડેજા સહિતના અગ્રણીઓ હોસ્પિટલે પહોચી ગયા હતા. પિતાએ,પુત્રીને પરીક્ષાના પરિણામમાં નાપાસ કેમ થઇ તેવું પૂછતા લાગી આવ્યાથી આ આત્યંતિક પગલું ભરાયાનું જાહેર થયું હતું.
જામનગર શહેર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ