બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / Extra / these-habits-after-meal-can-damage-your-body

NULL / જમ્યા પછીની આ ટેવોથી તમારા સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સામાન્યપણે લોકો જમ્યા પછી કેટલાક એવા કામ કરતા હોય છે જેના વિષે તેમને પૂરી જાણકારી નથી હોતી અને એવી ટેવોથી તમારા શરીરને નુક્સાન પહોંચતુ હોય છે.

1. ગરમ પાણીથી નહાવું:

ડોક્ટર્સ પ્રમાણે ભોજનને પચવા માટે એનર્જીની જરૂર હોય છે પરંતુ જમ્યા પછી તરત જ ગરમ પાણીથી નહાવાથી શરીરનું તાપમાન વધી જાય છે. તેને સંતુલિત કરવા માટે બ્લડ સરક્યુલેશન ચામડી તરફ થવા લાગે છે જેના લીધે ઘણી એનર્જી એમાં જ વેસ્ટ થઈ જાય છે. બીજું જમ્યા પછી નહાવાથી હાથ અને પગમાં બ્લડ ફ્લો વધી જાય છે પરંતુ પેટની ચારેબાજુ લોહીનું પ્રમાણ ઘટી જાય છે. સતત એમ કરવાથી પાચન તંત્ર નબળું પડી જાય છે. તેના કારણે તમે હળવી વસ્તુ ખાઓ તો પણ તમને પચતી નથી.

2. ચા પીવી:

ઘણી વાર તમે જોયું હશે કે કેટલાક લોકો જમ્યા પછી ચા પીવાનું પસંદ કરતા હોય છે. જો તમે પણ એવું કરતા હોવ તો એ ટેવને તરત જ બદલી નાંખજો. ચામાં પોલિફિનોલ્સ અને ટેનિંસ જેવા કેમિકલ હોય છે જે ભોજનમાંથી મળતા પોષકતત્વોને નષ્ટ કરી નાંખતા હોય છે. બીજું 50 ગ્રામ ચામાં જ 40 ગ્રામ એસિડ હોય છે જે બોડીના પ્રોટિનને તો નુક્સાન પહોંચાડે જ છે પરંતુ તમારી ઊંઘને પણ દૂર કરવાનું કામ કરે છે.

3. ચાલવા નિકળવું:

જે લોકો જમ્યા પછી એમ વિચારીને લાંબા અંતર માટે ચાલવા નિકળતા હોય છે કે તેનાથી તેમનું ભોજન પચી જશે અને સાથે જ ચરબી પણ નહીં વધે તો તેઓ ખોટું વિચારી રહ્યા છે. જમ્યા પછી જો કેલરી બર્ન કરવાની વાત કરવામાં આવે તો એક કિલોમીટરની વોક અંદાજે 18 કેલરી બર્ન કરે છે જ્યારે નોર્મલ વોક 70 કેલરી. વાસ્તવમાં આટલા ઓછા સમયમાં બોડી ભોજનના પોષણને મેળવી શકતું નથી. માટે ફરવા જાઓ પરંતુ જમ્યાના અડધો કલાક પછી.

4. તરત જ ફળ ખાવું:

જો તમે ભોજનની સાથે અથવા ભોજન પછી તરત જ ફળ ખાઓ છો તો ફળ પેટમાં જ ચોંટી જાય છે અને બરાબર રીતે આંતરડા સુધી પહોંચી નથી શકતું. એવામાં તેમાથી મળતું પોષણ અધૂરું જ રહી જાય છે. માટે જમ્યાના એક કલાક પછી અથવા જમવાના કેટલાક કલાકો પહેલા જ ફળ ખાવા.

5. સિગરેટ પીવી:

આમ તો સિગરેટ પીવી જ ન જોઈએ. ધુમ્રપાનથી ઘણા રોગો થતા હોય છે. પરંતુ વિશેષજ્ઞો પ્રમાણે જમ્યા પછી તરત જ સિગરેટ પીવી 10 ગણું વધારે જોખમી નિવડી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ