બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 10:45 PM, 4 November 2023
હ્રદયની બિમારી સૌથી મોટી બિમારી માનવામાં આવે છે. એમાં પણ અત્યારે હાર્ટ એટેકના કેસ ખુબ વધી રહ્યાં છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દર વર્ષે 1 કરોડ 79 લાખ લોકો હ્રદયની બિમારીના કારણે હાર્ટ એટેકનો ભોગ બને છે. કારણ કે બ્લડ સપ્લાઈ અટકી જવાના કારણે અને કાર્ડિયક અરેસ્ટમાં હ્રદય બ્લડ પંપ કરવાનું બંધ કરી દે છે. કાર્ડિયોવૌસ્કુલર ડિઝીઝને ઓછો કરવા માટે આપણી લાઈફસ્ટાઈલને હેલ્ધી રાખવી જોઈએ.
એવી કોઈ આદતને તમારા જીવનમાં સામેલ ન કરો કે જેના કારણે તમારા હ્રદયને નુકસાન પહોંચે. તમારી કેટલી પર્સનલ આદતો તમને હાર્ટ એટેક, કાર્ડિયક અરેસ્ટ, એરિથમિયા, હાઈ બ્લડ પ્રેશરના દર્દી બનાવી શકે છે.. આયુર્વેદિક એક્સપર્ટ વૈદ્ય મિહિર ખત્રીએ 5 એવી આદતો બતાવી છે કે જે તમારા હ્રદયને નુકસાન પહોંચાડી શકે છે.. જેને તમારે આજથી જ બદલી નાખવી જોઈએ
હાર્ટ પર અટેક કરે છે આ કામ...
દોડવુ-એક્સરસાઈઝ કરવી
ઘણા લોકો ખાલી પેટ એક્સરસાઈઝ, દોડ જેવી ફિઝિકલ એક્ટિવિટી ન થઈ શકે.. આ પહેલા તે પ્રી-વર્કઆઉટ સ્નેક્સ અને ડ્રિંક લે છે. પણ પેટને વધારે પડતુ ભરવાથી બચવું જોઈએ.. વૈદ્યએ કહ્યું કે ભોજન કર્યા બાદ તરત જ દોડવું, એક્સરસાઈઝ, ફિઝિકલ એગ્જર્શન કરવાથી બચવુ જોઈએ. ખાસ કરીને માતા-પિતાએ બાળકોને શિખવવું જોઈએ કે એક્સરસાઈઝ કે ખેલ-કુદ જમ્યા પછી તરત જ ન કરવુ જોઈએ. ઓછામાં ઓછુ 10-15 મિનિટ બેસ્યા બાદ કોઈ શારીરિક કામ કરવું.
નહાવું
ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ પરોઠા અને કચોરી જેવો ભરપેટ નાસ્તો કરે છે. સારી રીતે પેટ ભર્યા બાદ જ ટૂથબ્રશ અને શાવર પાસે નહાવા જતા હોય છે. પરંતુ જમ્યા બાદ નહાવુ એ હ્રદય માટે સૌથી વધુ ખતરનાક છે. જમવા બાદ સ્વીમીંગથી પણ બચવું જોઈએ.
વધારે પાણી પીવું
જમતી વખતે પાણી પીવાની આદત હોય તો આ આદત સુધારી નાખજો. આવું કરવું ખુબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જમ્યા બાદ વધારે પડતું પાણી પીવાથી મેટાબોલિઝમ ધીમુ પડી જાય છે. જેના કારણે ડાઈજેશન બરાબર થતું નથી.. જે બિમારીઓ આગળ જતા હાર્ટ ડિસિઝનું કારણ બની શકે છે.
પુરતી માત્રામાં ઊંઘ લેવી
જમ્યા પાછી તરત જ સુવાની આદત ખરાબ છે. જમ્યા પછી તરત જ સુવાથી અપચો, વજન વધવો, સ્થૂળતા અને ખરાબ ઊંઘ આવી શકે છે. કારણ કે આ સમય દરમિયાન તમારા પેટને ખોરાક પચાવવા માટે લોહીની જરૂર પડે છે. પરંતુ સૂતી વખતે લોહી મગજ તરફ જવા લાગે છે.
પેશાબ અને મળ રોકવો
જો જમ્યા બાદ તરત જ બાથરૂમ જવાની નોબત આવે છે એટલે એનો મતલબ એવો કે તમને બરાબર રીતે પાચન થતું નથી. પણ ક્યારેય જમ્યા બાદ પેશાબ કે મળનું નેચરલ પ્રેશર રોકવું જોઈએ નહીં.આવુ કરવાથી હાર્ટ અને બોડી પર હાનિકારક દબાવ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh