બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / There was only curfew in Congress rule, now he should not be cheated, Amit Shahs strikes in Gaurav Yatra from Ahmedabad
Kishor
Last Updated: 04:42 PM, 13 October 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા તમામ પક્ષોએ સરકાર બનાવવા પ્રયાસ શરૂ કર્યા છે. જે અંતર્ગત ભાજપે ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરી છે. આ ગૌરવ યાત્રાનો આજે બીજો દિવસ છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ઝાંઝરકાથી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જે બાદ અમિત શાહે સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
ગુજરાતના વિકાસ કાર્યોની ગાથાને જન-જન સુધી પહોંચાડતી ગુજરાત ગૌરવ યાત્રા (ઝાંઝરકા, અમદાવાદ)ના શુભારંભ પ્રસંગે લાઈવ… https://t.co/bDJKeMMPqN
— Amit Shah (@AmitShah) October 13, 2022
કોંગ્રેસે લોકોને અંદરો-અંદર ઝઘડો કરાવવાનું કામ કર્યું :અમિત શાહ
ઝાંઝરકાથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો આ વેળાએ તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં માત્ર કરફ્યૂ રહેતો હતો. કોંગ્રેસે લોકોને અંદરો-અંદર ઝઘડો કરાવવાનું કામ કર્યું હોવાના પણ અમિત શાહે આરોપ લગાવ્યા હતા. વધુમાં તેઑએ જણાવ્યું કે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે 24 કલાક વીજળી મળતી ન હતી. પરંતુ તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બનતાની સાથે જ રાજ્યમાં 24 કલાક વીજળી આપી છે. અત્યારે રાજ્યામાં 24 કલાક વીજળી સાથે ઘરે-ઘરે નર્મદાનું પાણી મળી રહ્યું છે. વધુમાં ભાજપની સરકાર બન્યા બાદ ગુજરાતમાં શાંતિ સ્થપાઈ છે. હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
કોંગ્રેસ છેતરી ન જાય તે વાતનું ધ્યાન રાખજો : અમિત શાહ
આ વેળાએ અમિત શાહે ઉમેર્યું હતું કે દરેક ચૂંટણીમાં જનતાએ ભાજપને વિજય બનાવ્યો છે. ત્યારે આગામી ચૂંટણીમાં પણ ફરીવાર બે તૃતિયાસ બહુમતીથી જીતુશુ તવો અમિત શાહે આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ગીફ્ટ સિટીથી ગુજરાતનો વ્યાપાર ગ્લોબલ બનાવાનો છે, ભાજપ સરકારમાં શાંતિ વિકાસ અને સમૃદ્ધિનો નારો લાગ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં રોકાણકારોની લાઇન લાગી છે. દુનિયાની સૌથી મોટું સ્ટેચ્યુ ગુજરાતમા છે, તો રામ મંદિર બનાવની શરૂઆત થઈ ગઈ છે એને કાશી વિશ્વનાથ, ઉજ્જૈન સહિતના યાત્રાધામોનો ઉદ્ધાર કરવાનું કામ કર્યુ છે. આથી હવે ગુજરાતમાં સાશન આપો ત્યારે ટકોરો મારીને આપજો અને કોંગ્રેસવાળાઑ છેતરી ન જાય તે વાતનું ધ્યાન રાખજો તેમ અંતમાં અમિત શાહે ઉમેર્યું હતું.
ઉનાઈ, નવસારી ખાતે 'ગુજરાત ગૌરવ યાત્રા' અને 'ભગવાન બિરસા મુંડા આદિવાસી વિકાસ યાત્રા'ના શુભારંભ પ્રસંગે મારું સંબોધન. https://t.co/OrJ5BPM4Fo
— Amit Shah (@AmitShah) October 13, 2022
જનતાના આશીર્વાદ લેવા માટે આ યાત્રા શરૂ કરાઈ : મનસુખ માંડવિયા
ગુજરાત ગૌરવ યાત્રાને લઇ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે જનતાના આશીર્વાદ લેવા માટે આ યાત્રા શરૂ કરાઈ છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વાસની પાર્ટી છે. વધુમાં ભાજપે જનતાની અપેક્ષા મુજબનું સાશન આપ્યું હોવાથી જનતાના આશીર્વાદ અમારી સાથે હોવાનું માંડવિયાએ અંતમાં ઉમેર્યું હતું.
કોંગ્રેસે અન્યાય કરવામાં કઈ બાકી રાખ્યુ નથી
વધુમાં નવસારીના ઉનાઈથી ભાજપની ગૌરવ યાત્રા યોજાઇ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આઝાદી પછી કોંગ્રેસે અન્યાય કરવામાં કઈ બાકી રાખ્યુ નથી. ત્યારબાદ જનતાએ ભાજપ પર વિશ્વાસ કર્યો તેની આ ગૌરવયાત્રા છે. આજે ત્રા ઉનાઈ થી ફાગવેલ અને ઉનાઈ માતા થી અંબાજી સુધી એમ બે ગૌરવ યાત્રા શરૂ થશે. આમ ગુજરાતમાં પાંચ ગૌરવ યાત્રા 182 વિધાનસભા ક્ષેત્રમાં ફરશે. અમિતશાહે ઉમેર્યું કે ભાજપ સરકારે પેસા એક્ટને અમલમાં મુક્યો છે અને નળથી આદિવાસીના ઘર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. વધુમાં 98.3 % આદિવાસી ગામોને મુખ્ય રોડ સાથે જોડ્યા હોવાનું પણ જણાવ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh