બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / There is no Gauchar in 2303 villages! Who grazed the cattle land in Gujarat? Where is the voice of the system?
Vishal Khamar
Last Updated: 09:58 PM, 14 October 2023
રખડતા ઢોરનો ત્રાસ ગામડાથી હવે શહેરો સુધી પહોંચ્યો છે.,મહાનગરોમાં રોજ એકાદ વ્યક્તિ ભોગ બને છે. લગભગ 3 દિવસે એકાદ વ્યક્તિનું મોત પણ થાય છે. રખડતા ઢોર પર અંકુશ મુકવાની સાથે આ સમસ્યાનું જડ ગૌચર જમીન સાથે જોડાયેલું છે.ગૌચરની જમીનના અભાવને કારણે પશુઓ જ્યાં ત્યાં ભટકે છે અને નિર્દોષ લોકો અડફેટે ચડે છે. રખડતા પશુ માટેની પોલિસી લાવવાની સાથે ગૌચરની જમીન પર ગેરકાયદે દબાણોને ખાલી કરાવવા ફરી એક વાર આદેશ અપાયા છે.
વિકાસ કમિશનરે પરિપત્ર જાહેર કરીને ગ્રામ પંચાયતોને સૂચના આપી છે. સાથે જ દબાણો દૂર કરવાની સૂચના આપી છે. વર્ષ 2015માં ગૌચર માટેની નીતિ અને ત્યાર બાદ 2019માં પરિપત્ર જેનો અમલ આજ સુધી ન થતાં સ્થિતિ એ છે કે ગુજરાતમાં 43 લાખ હેક્ટર ગૌચરની જરૂર છે. 2 કરોડ પશુની સામે માત્ર 8 લાખ હેક્ટર ગૌચર જમીન છે. ખરાબાની અને ગૌચરની જમીન ભાડે-વેચાણથી અપાઇ હોવાનો વિપક્ષનો દાવો છે. ગુજરાતના 2303 ગામોમાં ગૌચર જ ન હોવાનો ખુલાસો પણ થયેલો છે. ગૌચરની જમીન પર ભૂમાફિયા વગને કારણે તરાપ મારીને બેઠા છે. સવાલ નીતિ અને પરિપત્ર બાદની એકશનનો છે. સવાલ એ છે કે ભૂમાફિયાને બળ કોણ આપે છે? સવાલ એ છે કે અબોલ પશુઓનો હક છીનવનારા સામે પગલા ભરવામાં હાથ કેમ બંધાયેલા છે?
ગૌચરને લઇને વિકાસ કમિશનરના પરિપત્રમાં શું છે?
ગૌચર સહિતની જમીનો પરના દબાણ દૂર કરવા પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં ગ્રામ પંચાયતોને દબાણ દૂર કરવા અધિકારો અપાયા છે. 23.10.2019 નાં પરિપત્રથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએથી દબાણ દૂર ન કરાયા હોવાની માહિતી બાદ સૂચના આપવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય કક્ષાએ યોજાતી બેઠકમાં દબાણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. દબાણ રજીસ્ટ્રરમાં દબાણોની નોંધણી કરવી. તેમજ દબાણ દૂર કરવાની સાથે નિયમોનુસાર દંડ ફરજીયાત લેવો. કોમર્શિયલ પાકા દબાણોને અગ્રિમતાનાં ધોરણે દૂર કરવા અન્ય દબાણો દૂર કરવા સરકારની સૂચનાનું પાલન કરવું. તેમજ દબાણો દૂર કરવા દરમિયાન શાંતિનો ભંગ ન થાય તેની કાળજી લેવી. મામલતદાર-પોલીસનાં સંકલનમાં રહી દબાણો દૂર કરવા.
ગૌચર જમીન પર દબાણોને હટાવવા ગુજરાત હાઇકોર્ટમાં થઇ હતી અરજી
ગુજરાતમાં 2 કરોડથી વધુ પશુઓ છે
2 કરોડ પશુઓની સામે 8 લાખ હેક્ટર ગૌચર જમીન
નવા દબાણો ઉભા ન થાય તે માટે સતત તકેદારી
દર મહિને ગ્રામ પંચાયત પાસેથી દબાણનાં પત્રકો મેળવી દબાણો દૂર કરવા સમીક્ષા કરવી. તેમજ નવા દબાણો ઉભા ન થાય તે માટે સતત તકેદારી રાખવી. તાલુકા વિકાસ અધિકારીએ દર મહિને ગ્રામ પંચાયત પાસેથી દબાણનાં પત્રકો મેળવવા. અને દબાણ દૂર કરવાની સમીક્ષા કરવી. દબાણો ઉભા ન થાય તે માટે પ્રયાસ કરવા. દર મહિને તાલુકા વિકાસ અધિકારીની બેઠકમાં કાયમી એજન્ડાનો સમાવેશ કરી દબાણ દૂર કરવા સમીક્ષા કરવી.
ગુજરાતમાં ગૌચરની વાસ્તવિકતા શું?
ગૌચર જમીન પર દબાણોને હટાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી. ગુજરાતમાં 2 કરોડથી વધુ પશુઓ છે. 2 કરોડ પશુઓની સામે 8 લાખ હેક્ટર ગૌચર જમીન છે. પશુઓ માટે 43 લાખ હેક્ટર ગૌચરની જરૂર છે. ગુજરાતમાં વર્ષ 2015 માં ગૌચર જમીન પરથી દબાણ હટાવવા નિતિ બની હતી. નીતી પ્રમાણે પગલા ન ભરાતા દબાણ વધ્યા હતા. રાજ્યમાં બે વર્ષમાં 103 કરોડ 80 લાખ 73 હજાર 183 ચો.મી જમીન ભાડે વેચાણથી આપી હતી. ખરાબાની અને ગૌચરની જમીન ભાડે-વેચાણતી અપાઈ છે. સૌથી વધુ કચ્છમાં 95 કરોડ 65 લાખ 31 હજાર 216 ચો.મી. જમીન ભાડે વેચાણથી આપી હતી. રાજ્યમાં 9029 ગામોમાં લઘુત્તમ ગૌચર કરતા ઓછું ગૌચર છે. 2303 ગામોમાં ગૌચરની જમીન જ નથી. સૌથી વધુ બનાસકાંઠામાં 1165 ગામોમાં લઘુત્તમ ગૌચરથી ઓછું છે. વલસાડ જીલ્લાનાં 250 ગામોમાં બિલકુલ ગૌચર નથી.
ગૌચર જમીનનું રિયાલિટી ચેક
તાપી
ભરૂચ
ગીર સોમનાથ
જામનગર
જૂનાગઢ
પંચમહાલ
ખેડા
પાટણ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh