બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / There is a temple of Maa Chamunda and Shivaji on the bank of the lake in Vartol village of Sabarkantha.
Dinesh
Last Updated: 08:31 AM, 10 February 2024
ચંડ અને મુંડ નામના દૈત્યનો અતિશય ત્રાસ વધતા માર્કંડ ઋષિએ પ્રગટ કરેલી શક્તિએ દૈત્યનો નાશ કરતા.. તે શક્તિ કહેવાયા માં ચામુંડા.... મૃત્યુલોકમાં હજારો લોકોના દુઃખ દર્દ અને સમસ્યાઓથી માં ચામુંડા મુક્તિ અપાવે છે.. સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્માના વરતોલમાં.. મા ચામુંડા અને સ્વયંભૂ ભગવાન શિવજી બિરાજમાન છે. હજારો લોકોની મનોકામના પૂર્ણ કરતા માં ચામુંડાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.
ખેડબ્રહ્માના વરતોલમાં બિરાજમાન
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં જગતજનની માં જગદંબાના પ્રગટ સ્થાનથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે વરતોલ ગામ આવેલુ છે વરતોલ ગામમાં તળાવ કિનારે મા ચામુંડા અને શિવજીનું મંદિર છે. દરરોજ ઘણા ભાવિક ભક્તો પોતાના દુઃખ દર્દ અને વિવિધ સમસ્યાઓથી છુટકારો મેળવવા માં ચામુંડા અને શીવજીના દર્શને આવે છે. માં ચામુંડા અને ભગવાન શિવજી ની ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે. લોકવાયકા મુજબ દૈત્યોથી છુટકારો અપાવવા માર્કંડ ઋષિએ પ્રગટ શક્તિનું નિર્માણ કર્યું તે પ્રગટ શક્તિએ બંને દૈત્યનો નાશ કર્યો.
ચંડ અને મુંડનો કર્યો વિનાશ
ચંડ અને મુંડ એ બંને દૈત્યના નાશ કર્યો એટલે એમના નામથી માં ચામુંડા નામ થયું.. માં ચામુંડા કેટલાય દુઃખી અને ની સંતાન દંપતિઓ માટે એક માત્ર આશા નું કિરણ બની રહ્યા છે. ખેડબ્રહ્મા નજીક વરતોલ ગામના નાના રમણીય પહાડો વચ્ચે સુંદર તળાવ કિનારે માં ચામુડા અને શિવજી બિરાજમાન છે દિવસ દરમ્યાન હજારો ભાવિકો મંદિરે દર્શનાર્થે આવે છે. ની-સંતાન દંપતિઓ માટે માતાજીનુ મંદિર આશા સમાન સ્થળ છે.
મા ચામુંડાના મંદિરે આવે છે અનેક ભક્તો
જે દંપતી નિઃસંતાન હોય તેમની બાધા ચામુંડા માતાજીના મંદિરે રવિવાર, મંગળવાર અને ગુરુવારે સવારે 8.00 થી 11 વાગ્યા સુધી રાખવામાં અને છોડવામાં આવે છે. નિઃસંતાન દંપતી તળાવમાં સ્નાન કરી ભીના કપડા પહેરી માતાના ચરણોમા ખોળો પાથરે છે અને પૂજારી દ્વારા પાઠ કરવામાં આવે છે. લાખ્ખો શ્રધ્ધાળુઓ પોતાની મનોકામના માટે મંદિરે આવતા હોય છે અને તેમની મનોકામનાઓ પ્રગટ સ્થાન પર ચોક્કસ પૂર્ણ થાય છે. ચામુંડા માતાજીના મંદિરે બાળકોની બાબરી ઉતારવા પણ ભાવિકો આવે છે.માતાજીની સમીપે સાચી આસ્થા દ્વારા અપારશક્તિનો સંચાર થાય છે.
ભીમનાથ મહાદેવ બિરાજમાન
મંદિરનો રંગબેરંગી કાચથી સુંદર શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના ઘુમટ્ટમાં ચામુંડા માતાજીની અલગ અલગ કૃતિ, વિષ્ણુ ભગવાન, મહાદેવજી અને બીજા અનેક દેવી-દેવતાઓના કાચથી સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે જે મંદિરની શોભામાં અભિવૃધ્ધી કરે છે. માતાજીના દર્શન માત્રથી ભાવિકોના દુઃખ દૂર કરતી માં ચામુંડાના અલૌકીક દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. સુંદર રમણીય જગ્યાએ બિરાજમાન માતાજીના મંદિરની બાજુમાં ભીમનાથ મહાદેવ બિરાજમાન છે.
મંદિરમાં શિવજીનું વિરાટ શિવલિંગ
વિરાટ શિવલિંગ પાછળ લોકવાયકા છે કે ભીમને ભગવાન શિવના દર્શન બાદ ભોજનની ટેક હતી અને ભીમને ભગવાન શિવના દર્શન ન થતા ભીમે જમીન પર માથું પછાડતા આ જગ્યા ઉપર સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આટલું વિરાટ શિવલિંગ બીજી કોઈ જગ્યાએ નથી અને આ જગ્યા પર ભગવાન શિવનુ અનેરુ મહત્વ છે. મંદિરે આવતા દરેક ભાવિક માં ચામુંડાના દર્શન કર્યા બાદ ભગવાન શિવના તેમજ શિવલિંગના દર્શન અચૂક કરે છે અને કેટલાય દુઃખ દર્દો માંથી છુટકારો મેળવે છે. હાલના હળાહળ કળીયુગમાં કેટલીય આધ્યાત્મિક બાબતો છે જે સરળતાથી સમજી શકાય એમ નથી. પણ વરતોલ ગામે પ્રગટ શક્તિ માં ચામુંડા, ની-સંતાન દંપતિના ખોળામાં ફૂલ થકી આશીર્વાદ આપે છે તે યથાર્થ છે.
વાંચવા જેવું: સોરઠની ધરામાં થયો હતો ચમત્કાર: બે ભાઈઓએ અલગ અલગ મંદિર બનાવ્યું પણ નિર્માણ બાદ જોવા મળ્યું આશ્ચર્ય
ચામુંડાનુ મંદિર એકમાત્ર આશા સમાન સ્થળ
મંદિરે આવતા કેટલાય લોકોની માનતાઓ પૂર્ણ થતા તે ભાવિકો નિયમિત દર્શનાર્થી બની રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ની-સંતાન દંપતિ માટે માં ચામુંડાનુ મંદિર એકમાત્ર આશા સમાન સ્થળ બની રહ્યું છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં આવેલા માં ચામુંડાના મંદિરે વર્ષ દરમિયાન દરેક દિવસોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. મંદિરે આવનાર દરેક ભાવિકનું જીવન સુખરૂપ બને છે ત્યારે આ પ્રગટ સ્થળની મુલાકાત લેનાર દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની કૃપા મળતી રહે તેવી સ્થાનિકોની અપેક્ષા યથાર્થ સાબિત થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh