બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / સ્પોર્ટસ / Cricket / The third Test against Australia not being played at Dharamsala, the biggest announcement BCCI made, showed this reason
Megha
Last Updated: 11:41 AM, 13 February 2023
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ધર્મશાલા ટેસ્ટ માટે વૈકલ્પિક સ્થળ શોધી રહ્યું હતું અને અંતે એક સફળતા મળી. જણાવી દઈએ કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટનું આયોજન ધર્મશાલામાં નહીં કરવામાં આવે. નોંધનીય છે કે હાલ ચાલી રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ હેઠળની ત્રીજી ટેસ્ટ જે 1 થી 5 માર્ચ દરમિયાન HPCA સ્ટેડિયમ ધર્મશાલામાં યોજાવાની હતી હાલ તેને ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી છે.
આ કારણે ધર્મશાલાના સ્ટેડિયમમાં નહીં આયોજાય મેચ
રિપોર્ટ મુજબ હિમાચલના આ ક્ષેત્રમાં શિયાળાને કારણે હાલ આઉટફિલ્ડમાં પૂરતું ઘાસ નથી અને એ તેને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં હજુ ઘણા દિવસો લાગશે. આવી સ્થિતિમાં ધર્મશાળામાં આયોજવવામાં આવેલ એ મેચને રદ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે BCCIની ટીમે 11 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું અને રવિવારે રજૂ કરવામાં આવેલ રિપોર્ટ ધર્મશાલાની તરફેણમાં ન હતો.
NEWS - Venue for third Test of the @mastercardindia Australia tour of India for Border-Gavaskar Trophy shifted to Indore from Dharamsala. #INDvAUS
— BCCI (@BCCI) February 13, 2023
More details here - https://t.co/qyx2H6N4vT pic.twitter.com/N3W00ukvYJ
BCCI પર પણ સવાલો ઉભા થયા
જોકે મેચનું સ્થાન અચાનક બદલવાને કારણે ટેસ્ટ મેચની ફાળવણી બાદ સ્થળ પર નજર ન રાખવા બદલ BCCI પર ઘણા સવાલો ઉભા થયા છે. ધર્મશાલામાં રમાનારી આ બીજી ટેસ્ટ હતી, છેલ્લી વખત ધર્મશાલાએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2017માં ટેસ્ટનું આયોજન થયું હતું.
આ વિશે બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું કે'મેચની યજમાની કરવા માટે યોગ્ય હોવાના બીસીસીઆઈ પાસે ચોક્કસ માપદંડ છે, એ મુજબ આ મેદાન પર કોઈ સ્પર્ધાત્મક મેચ રમાઈ નથી અને આઉટફિલ્ડ પણ તૈયાર નથી. સાથે જ આઉટફિલ્ડના કેટલાક ભાગોમાં ઘાસ પણ નથી અને આગામી થોડા દિવસોમાં વરસાદની આગાહી પણ અવરોધ પેદા કરી શકે છે.' જણાવી દઈએ કે ધર્મશાળામાંથી મેચનું સ્થળાંતર હજારો પ્રશંસકો નિરાશ થયા છે કારણ કે તેઓ લાંબા સમયથી ત્યાં વર્લ્ડ ક્લાસ ટેસ્ટ મેચની રાહ જોઈ રહ્યા હતા.
ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ
1લી ટેસ્ટ (નાગપુર) – ભારત એક ઇનિંગ્સ અને 132 રનથી જીત્યું
2જી ટેસ્ટ (દિલ્હી) – 17 થી 21 ફેબ્રુઆરી, 2023
ત્રીજી ટેસ્ટ (ઈન્દોર) – 1 થી 5 માર્ચ, 2023
ચોથી ટેસ્ટ (અમદાવાદ) – 9 થી 13 માર્ચ, 2023
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh