બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Khyati
Last Updated: 12:55 PM, 21 March 2022
21 માર્ચ એટલે વન તરફથી મળતા અગણિત લાભો, પેદાશો અને ઉપકારોને યાદ કરીને ઋણ ચૂકવવાનો દિવસ. વિશ્વ વન દિવસની ઉજવણી 21 માર્ચે કરવામાં આવે છે પરંતુ આપણું અસ્તિત્વ વનોને કારણે જ છે તે ભૂલવુ ન જોઇએ. આજે માણસ પોતાના સ્વાર્થ માટે વર્ષો જૂના વૃક્ષોને પણ પળવારમાં જ ભોંયભેગા કરતા વિચાર તો નથી જે આવનારી પેઢી માટે ખેરખર જોખમી છે. જો કે આ તમામ વચ્ચે આજે વિશ્વ વન દિવસની ઉજવણી નિમિત્તે સુરતથી સારા સમાચાર સામે આવ્યા છે.
સુરતમાં વધ્યો જંગલ વિસ્તાર
સુરતમાં વિશ્વ વન દિવસની ઉજવણીના અવસરે સારા સમાચાર પ્રાપ્ત થયા છે. સુરત જિલ્લામાં વન વિસ્તારમાં 5 વર્ષમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. સુરત જિલ્લાની 50 હજાર હેક્ટર જમીન પર વન પથરાયેલું છે. જેમાં ચેરના વૃક્ષોની સંખ્યામાં વધારો થયો હોવાનું પણ સામે આવ્યુ છે જે ખરેખર એક ખુશીની વાત કહી શકાય. કારણ કે આ વૃક્ષો એવા છે જે કુદરતી આફત સમયે પણ અડીખમ રહે છે.
સુરતમાં ચેરના વૃક્ષો વધ્યા
સુરતમાં વર્ષ 2017ની સરખામણીએ હેક્ટર દીઠ ચેરના વૃક્ષોની સંખ્યામાં વધારો થયો છે. 2017માં હેક્ટર દીઠ 40 વૃક્ષ હતા જે હવે 48 થયા છે. સુરતના ડુમસ, માંડવી, ઉમરપાડા, મહુવા અને માંગરોળમાં ચેરના વૃક્ષોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. મહત્વનું છે કે ચેરના વૃક્ષોનું આવરણ ગુજરાતના ચાર વિસ્તારોમાં ફેલાયેલું છે, જેમાં કચ્છ, કચ્છનો અખાત અને સોરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત(ખંભાતના અખાત- ડુમ્મસ ઉભરાટ વિસ્તાર સહિત)નો સમાવેશ થાય છે.
ચેરના વૃક્ષોનું મહત્વ
વિશ્વમાં મેન્ગ્રોવસ એટલે કે ચેરના વૃક્ષો ઉષ્ણકટિબંધીય અને પેટા ઉષ્ણકટિબંધીય હદના આંતર ભરતી દરિયાઇ વિસ્તારોમાં જોવા મળે છે. તે ભરતી-ઓટ તેમજ ભારે પવન અને તોફાનોથી દરિયા કિનારાનું ધોવાણ થતાં અટકાવે છે. મેન્ગ્રોવસ કુદરતી આફતો જેવી કે દરિયાઇ તોફાન અને સુનામી વખતે પણ તેની અસરને ઓછી કરવામાં મદદરૂપ થાય છે. મેન્ગ્રોવસ(ચેર) સમુદ્રી કિનારાનું રક્ષણ કરતો હોવાથી દરિયાઇ તોફાન તેમજ જળપ્રવાહો, ભરતી-ઓટ વખતે માછીમારો પણ તેનો આશરો લે છે. સમુદ્રી કિનારાના આર્થિક-સામાજિક સુરક્ષા માટે મેન્ગ્રોવસનો વિકાસ અને હરિયાળું આવરણ ખૂબ જ મહત્વનું છે.
વિશ્વ વન દિવસ કેમ ઉજવાય છે ?
ઇ.સ 1971માં મળેલી 23મી યુરોપિયન કોન્ફેડરેશન ઑફ એગ્રિકલ્ચરની સામાન્ય સભામાં 21 માર્ચે આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. જેને "યુનાઇટેડ નેશન્સ ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન" દ્વારા પણ સહકાર મળ્યો હતો. નવેમ્બર ૨૦૦૫માં "ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (Food and Agriculture Organization) એ જાહેર કરેલ યાદી મુજબ વિશ્વમાં દર મિનિટે ૨૫ હેક્ટર એટલે કે ૩૬ ફુટબોલ મેદાન જેટલા કુદરતી વનોનો નાશ થઇ રહ્યો છે. જો આ જ ઝડપે વનોનો નાશ થવાનો ચાલુ રહેશે તો કદાચ એક દિવસ પૃથ્વી વનવિહોણી બની જશે. આ સંદર્ભે વિશ્વમાં વન દિવસમી ઉજવણી કરવામાં આવે છે. જેથી લોકોને વન તરફથી મળતા લાભ, પેદાશો અને વન આપણા જીવનમાં કેટલા ઉપયોગી છે તેની જાણકારી અને વન બચાવવા જાગૃતિ લાવવાના હેતુ આ દિવસે વન દિવસ તરીકે ઉજવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh