બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / The number of Jan-Dhan accounts crossed 50 crores: 34 crores worth of cards given for free, PM Modi said - more benefits for women's power
Megha
Last Updated: 04:40 PM, 19 August 2023
દેશમાં જન ધન ખાતાની સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આ વાતની પ્રશંસા કરતાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. તેમાંથી 56% ખાતા મહિલાઓના છે. નોંધનીય છે કે દેશના ગરીબોને બેંકિંગ સેવાઓ સાથે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં આ યોજના શરૂ કરી હતી.
#JanDhan Revolution - Transforming the financial landscape of the country, Connecting the last mile with the formal banking system!
— Ministry of Information and Broadcasting (@MIB_India) August 19, 2023
Pradhan Mantri #JandhanYojana achieves a historic milestone!
➡️Jan Dhan accounts cross 50 Crore mark📈
➡️56% accounts belong to India's… pic.twitter.com/82JqzENXvK
લગભગ 67% ખાતા ગામડાઓ અને નાના શહેરોમાં ખોલવામાં આવ્યા
નાણા મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપતા કહ્યું હતું કે લગભગ 67% ખાતા ગામડાઓ અને નાના શહેરોમાં ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં કુલ જમા રકમ 2.03 લાખ કરોડ રૂપિયાથી વધુ છેઆ ખાતાઓમાંથી લગભગ 34 કરોડ રુપે કાર્ડ મફત આપવામાં આવ્યા છે. આ પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતાઓમાં સરેરાશ બેલેન્સ 4,076 રૂપિયા છે અને તેમાંથી 5.5 કરોડથી વધુને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)નો લાભ મળી રહ્યો છે. દેશના ગરીબોને બેંકિંગ સેવાઓ સાથે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં આ યોજના શરૂ કરી હતી.
જનધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર કરી ગઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જનધન ખાતાની સંખ્યા 50 કરોડને પાર કરી જવાને એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. તેમણે આ સિદ્ધિને પણ બિરદાવી હતી. એમને X પર કહ્યું, 'આ જોઈને આનંદ થાય છે કે આમાંથી અડધાથી વધુ ખાતા મહિલાઓના છે. 67% ખાતા ગ્રામીણ વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે નાણાકીય સમાવેશના લાભો આપણા દેશના દરેક ખૂણે પહોંચે.'
This is a significant milestone.
— Narendra Modi (@narendramodi) August 19, 2023
It is heartening to see that more than half of these accounts belong to our Nari Shakti. With 67% of accounts opened in rural and semi-urban areas, we are also ensuring that the benefits of financial inclusion reach every corner of our nation. https://t.co/sfZaNUOSts
જન ધન યોજના 28 ઓગસ્ટ 2014 ના શરૂ કરવામાં આવી હતી
નાણાકીય સમાવેશ પર રાષ્ટ્રીય મિશન એટલે કે પ્રધાનમંત્રી જન ધન યોજના 28 ઓગસ્ટ 2014 ના રોજ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા નવ વર્ષમાં તેણે દેશનું આર્થિક ચિત્ર બદલી નાખ્યું છે. આ યોજનામાં ખાતા ખોલાવનારાઓને ઘણા ફાયદા છે. સૌથી મોટી વાત એ છે કે તેમાં મિનિમમ બેલેન્સની કોઈ ઝંઝટ નથી. આ સિવાય ફ્રી રૂપે ડેબિટ કાર્ડ, 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને 10,000 રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે.
Number of Jan Dhan Accounts Cross 50 Crore
— PIB India (@PIB_India) August 18, 2023
56% Accounts Belong To Women and 67% Accounts Opened In Rural / Semi-urban Areas
Read here: https://t.co/bxLAOmQZGG@FinMinIndia
જન ધન ખાતાના મુખ્ય ફાયદા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની માર્ગદર્શિકા મુજબ, જન ધન ખાતા સહિત તમામ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ ધારકોએ કોઈપણ લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. આ યોજના હેઠળ સરકાર લોકોને ખૂબ જ સસ્તા દરે વિવિધ નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરે છે. એટલું જ નહીં, જનધન ખાતાધારકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા શિષ્યવૃત્તિ, સબસિડી, પેન્શન અને કોવિડ રિલીફ ફંડ સીધા તેમના બેંક ખાતામાં મળે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh