બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 04:13 PM, 29 May 2023
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ મહિને નવ વર્ષ પૂર્ણ કરી રહી છે. મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભાજપ દેશભરમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવશે. આ જનસંપર્ક અભિયાનનું સૂત્ર ‘નવ સાલ... બેમિસાલ’ રાખવામાં આવ્યું છે. પીએમ મોદી ૩૦ મેના રોજ વિશાળ રેલી સાથે ભાજપના મહાજનસંપર્ક અભિયાનની શરૂઆત કરશે. 31 મેના રોજ પણ પીએમ મોદીની વિશાળ રેલી યોજાશે. આ રેલીનું આયોજન મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા સહિત કોઈ એક સ્થળે કરાવાની શક્યતા છે. મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવા પર દરેક લોકસભા મતવિસ્તારમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન 30 મેથી 30 જૂન સુધી ચાલશે.
ભાજપના વરિષ્ઠ નેતાઓની 51 રેલીઓ થશે
તમામ જિલ્લા મથકોથી બૂથ પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં મોદી સરકારની નીતિઓ અને સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે. દેશભરમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની 51 રેલીઓ થશે. 396 લોકસભા બેઠકો પર જાહેર સભાઓ યોજાશે, જેમાં કેન્દ્રીય પ્રધાન અથવા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારી ઉપસ્થિત રહેશે, જેઓ આ રેલી અને જાહેર સભાઓમાં ભાગ લેશે. દેશભરના એક લાખ વિશેષ પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે. આમ, દરેક લોકસભામાં 250 પરિવારોનો સંપર્ક કરવામાં આવશે. આ અભિયાનમાં રાજ્યની પ્રભાવશાળી વ્યક્તિઓ, જેમ કે રમતવીર, કલાકાર, ઉદ્યોગપતિ, શહીદ અને અન્ય જાણીતા પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે. આજે દેશભરમાં એકસાથે પ્રેસ કોન્ફરન્સ યોજાશે.
10 લાખ બૂથ પર પાર્ટી કાર્યકરો સાથે PMની વાતચીત
પીએમ મોદી 23 જૂને વીડિયો કોન્ફરન્સ દ્વારા શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિએ 10 લાખ બૂથ પર પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે. 20થી 30 જૂન દરમિયાન ડોર ટુ ડોર સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. નવ વર્ષની સિદ્ધિઓ લોકો સાથે શેર કરવામાં આવશે અને પ્રચાર સામગ્રીનું વિતરણ કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh