બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / The grain mafia, who snatched the throats of the poor in Gujarat, will be gone by twelve o'clock now
Vishal Khamar
Last Updated: 08:40 PM, 1 May 2023
સમાજના અંતિમ તબક્કાનો વ્યક્તિ પણ ભૂખ્યો ન સૂવે તે માટે સસ્તું અનાજ વર્ષોથી ઉપલબ્ધ છે. કેટલાય પરિવારો એવા છે જે રાશનકાર્ડને કદાચ કોઈ ઘરેણાંથી પણ કિમતી સમજતા હશે. નહીંવત કિંમતે લાખો-કરોડો ગરીબોને અનાજ મળે છે અને તેમનો જઠરાગ્નિ ઠારે છે. પરંતુ ગરીબોની આંતરડી ત્યારે બળે છે જયારે અનાજ માફિયાઓ સસ્તા અનાજને બારોબાર સગેવગે કરી દે છે કે અન્ય અનાજ માફિયાને પધરાવી દે છે. એક અનાજ કેટલી મહેનત પછી તૈયાર થઈને બજારમાં એ ગરીબો માટે જતું હશે, એ ગરીબ કેટલી આશા સાથે સસ્તુ અનાજ લેવા લાઈનમાં ઉભો હશે અને એવો ખુલાસો થાય કે જે અનાજ ગરીબો માટે આપવાનું હતું તે બારોબાર ચાંઉ થઈ ગયું. સરકારે આ માટે SITની રચના તો કરી છે અને હવે SITએ કડક હાથે કામ લેવાનું પણ શરૂ કર્યું છે. પણ SITની કડકાઈથી સસ્તા અનાજમાં કૌભાંડ આચરનારા ડરશે ખરા? આ કૌભાંડીઓના મૂળ સુધી કેમ પહોંચાશે. જે અધિકારીઓની રહેમનજરથી આવા કૌભાંડ ચાલવાના અનેક ખુલાસાઓ થયા તેવા અધિકારીઓ સુધી કઈ રીતે પહોંચાશે.
સસ્તા અનાજની ચોરી કરનારા કૌભાંડીઓ પર તવાઈ છે. સસ્તા અનાજના વિતરણમાં કૌભાંડ રોકવા SIT હરકતમાં આવી છે. 2020થી અત્યાર સુધી થયેલા કેસ રિઓપન કરાયા છે. સરકારી અનાજ સગેવગે કરવાના 83 કેસ ફરી ખોલવામાં આવ્યા છે. SITએ તમામ SP અને કલેક્ટરને માર્ગદર્શિકા મોકલી આપી છે. સસ્તા અનાજની ચોરી કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહીની તૈયારી ટૂંક સમયમાં શરૂ થશે.
SITની SOPમાં શું છે?
સસ્તા અનાજની ચોરી રોકવા SIT રેડ કરશે. જયાં SIT રેડ કરશે તે વિસ્તારના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી. પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ અંતર્ગત પાસા જેવી કાર્યવાહી થઈ શકે છે. સરકારી અધિકારીની સંડોવણી હશે તો તેની સામે પણ કડક કાર્યવાહી. તમામ કલેકટર અને જિલ્લા પોલીસવડાએ SOPનું પાલન કરવાનું રહેશે.
કૌભાંડીઓનું નેટવર્ક ક્યાં સુધી?
આટકોટ |
સરકારી અનાજનો જથ્થો ખાનગી દુકાનમાંથી ઝડપાયો |
વેરાવળ |
300થી વધુ ઘઉં અને ચોખાના કટ્ટા ઝડપાયા |
સુરત |
બારોબાર વેચાણ અર્થે સસ્તુ અનાજ લઈ જવાતું હતું |
ટેમ્પોમાં હજારો કિલો અનાજની થતી હતી હેરાફેરી |
પોરબંદર |
કુતિયાણામાં રેશનિંગના ચોખા વેચવાનું કૌભાંડ |
4 આરોપીની ધરપકડ |
સુરત |
ગોડાઉનમાંથી સરકારી અનાજ વેચીને ખાનગી મિલને વેચી દેવાયું હતું |
ગોંડલ |
હાઈવે પરથી અનાજનો જથ્થો સગેવગે કરતો ટ્રક ઝડપાયો હતો |
અમદાવાદ |
ઈસનપુર રોડ ઉપર ટ્રકમાંથી સરકારી અનાજની 300 બોરી જપ્ત |
વડોદરા |
સસ્તા અનાજની અનેક દુકાનમાં ગેરરીતિ |
4 દુકાનમાંથી 1.25 લાખનો જથ્થો સીઝ |
ગરીબોનું અનાજ બારોબાર વેંચી દેવાતું હતું |
પુરવઠા વિભાગના અધિકારીઓની હતી રહેમનજર |
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh