બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / The ginning fairs around Viramgam take advantage of the helplessness of the farmers, do such tricks in harvesting cotton.
Vishal Khamar
Last Updated: 04:27 PM, 13 February 2023
વિરમગામમાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા આજે ખેડૂતોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે ખેડૂતઓએ જણાવ્યું હતું કે વિરમગામ એપીએમસીમાં કપાસના ભાવમાં ખેડૂતો સાથે છેંતરપીંડી કરવામાં આવે છે. કેટલીક જીનીંગ મીલ માલિકો દ્વારા ખેડૂતો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે. જેમાં કપાસના કાલા ઉતાર્યા બાદ 500 ગ્રામ કાલાના સેમ્પલમાંથી ભાવ નક્કી કરવામાં આવે છે. વેપારીઓ કપાસના જથ્થામાંથી ખરાબ કપાસના કાલામાંથી સેમ્પલ ઉઠાવે છે. ત્યારે વેપારીઓની આ મનમાની સામે ખેડૂતો લાચાર બન્યા છે.
પોષણક્ષમ ભાવ ન મળતા હોવા છતાં ખેડૂત કપાસ વેચવા મજબૂરઃખેડૂત
Vtv આજે વિરમગામ APMC પહોંચ્યું હતું જ્યાં કપાસનું વેચાણ કરવા માટે વેપારીઓ આવે છે ત્યારે આ બાબતે ખેડૂતને પૂછતા ખેડૂતોએ જણાવ્યું હતું કે કપાસને કાલા તરીકે ઓળખવામાં આવે છે. કાલામાંથા 15 કિલો 16 પણ કપાસ નીકળી શકે છે. જો 15 કિલોની ઉપર કપાસ નીકળે તો તે પ્રમાણેના ભાવ વેપારીઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવતા નથી અને જો કાલામાંથા 15 કિલોથી નીચે કપાસ નીકળે તો વેપારીઓ દ્વારા પૈસા કાપી લેવામાં આવે છે. ત્યારે વેપારીઓ દ્વારા કાલા ભરેલ ટ્રેક્ટરમાંથી ઈચ્છા પડે ત્યાંથી સેમ્પલ ઉઠાવવામાં આવે છે. જેથી ખેડૂતને ભાવ ન પોષાય તો પણ ખેડૂત પોતાનો માલ બીજે લઈ જઈ શકતો નથી. કાલા કપાસનો MSP માં પણ સમાવેશ કરવામાં આવેલ નથી. ત્યારે ભાવ ન પોષાતા ન હોવા છતાં ખેડૂતો કપાસ વેચવા મજબૂર બન્યા છે.
અહિંસક રીતે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશેઃખેડૂત
આ બાબતે ખેડૂતે મહારેલી બાબતે જણાવ્યું હતું કે મામલતદારને આવેદનપત્ર આપવાનું છે. વિરમગામથી લઈ રાધનપુર સુધી લોકો દેશી કાલા કપાસની ખેતી કરે છે. અને કાલા તરીકે વેચે છે. વેચવા જાય ત્યારે વેપારીઓએ એનું કર્ટેલ બનાવી ખેડૂતો પાસેથી 20 કિલોએ સાડા ચૌદ કિલોનો ઉતારો માંગે છે અને તો સાડા ચૌદ કિલોથી ઉપર ઉતારો નીકળે તો તેના પૈસા આપવામાં આવતા નથી. તેમજ કપાસનો માલ વેચ્યા બાદ વેપારીઓ દ્વારા ખેડૂતોને 15 દિવસ બાદ પૈસા આપવામાં આવે છે. આ સમગ્ર મામલે અહિંસક રીતે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh