બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / the farmers of dhoraji wrote letter to Minister of Agriculture for Fear of damage to crop
Khyati
Last Updated: 12:37 PM, 21 February 2022
ખેડૂતોની સમસ્યા ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. ક્યારેક અતિવૃષ્ટિ, ક્યારેક કમોસમી વરસાદ તો હવે પ્રતિકૂળ વાતાવરણને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઇ છે. ખેડૂતોએ મસમોટો ખર્ચ કરીને રવિપાકનું વાવેતર કર્યુ પરંતુ ખરાબ વાતાવરણને કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે.
મુખ્યમંત્રી-કૃષિમંત્રીને પત્ર લખી માગ મદદ
વાત છે ધોરાજીની.ખેતરમાં લહેરાતો આ પાક ખેડૂતોની મહેનતનું પરિણામ છે પરંતુ જ્યારે કુદરત રુઠે ત્યારે કરવું શું. ? સારામાં સારુ બિયારણ અને ખાતર લાવીને વાવેતર કર્યું. રાત દિવસ એક કરીને ખેડૂતોએ મહેનત કરી અને પરિણામે જોવા મળ્યુ નુકસાન. ધોરાજીમાં વાવેતરમાં નુકસાનની ભીતિ સેવાઇ છે. શિયાળા દરમિયાન ખેડૂતોએ રવિપાક જેવા કે ચણા, જીરુ અને ધાણાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ હતું પરંતુ પ્રતિકૂળ વાતાવરણને લીધે ખેડૂતોને પાકમાં નુકસાનીની ભીતિ સેવાઇ છે. પરિણામે ધોરાજીના ખેડૂતોએ ખેતરમાં બેસીને ગુજરાતના મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રીને એક પત્ર લખીને રવિ સીઝનમાં થયેલ પાક નુકસાનના વળતર માટે માંગ કરી છે,
ચણાના પાકને નુકસાન, પાકવીમાની માગ
પ્રતિકૂળ વાતાવરણને કારણે ખેડૂતોને ચણા અને ધાણાના પાકમાં નુકસાન થયુ છે. ચણાના પાકમાં રોગ જોવા મળતા ખેડૂતોની મહેનત માથે પડી છે. એક તરફ અતિવૃષ્ટિને કારણે નુકસાન થયુ. તેમાં પાકવીમાની રકમ હજી સુધી મળી નથી ત્યાં જ હવે ફરી એકવાર નુકસાની થતા ખેડૂતો આર્થિક રીતે ભાંગી પડ્યા છે. પૈસા વ્યાજે લાવીને વાવેતર કર્યુ પરંતુ સરકાર દ્વારા પાકવીમો ચૂકવાયો નથી.ખેડૂતો એ કરેલ વાવેતરમાં એક વીઘે 15 હજાર જેટલો વાવેતર અને ઉત્પાદન ખર્ચ કર્યો છે જેની સામે તેઓને માત્ર 3 થી 4 હજાર રૂપિયા મળી રહેતા ખેડૂતોએ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
શું છે ખેડૂતોની માગ
સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર ક્યાંયને ક્યાં મુશ્કેલીઓ આવી રહી છે અતિ વૃષ્ટિ, પાક નિષ્ફ્ળ ને સરકાર દ્વારા પાક વીમો નહિ ચૂકવો સહિતની મુશ્કેલી નો સામનો ખેડૂતો કરી રહ્યાં છે . ત્યારે ધોરાજીના ખેડૂતોની માગ છે કે સરકાર તેમની વ્હારે આવે.સર્વે કરીને પાક વીમો આપે જેથી થોડોક ટેકો થાય અને આવી રહેલ બીજી સીઝનમાં નવા પાક ના વાવેતરમાં થોડીક આર્થિક મદદ મળી શકે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh