બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The daughter should be imprisoned for a while! Saurashtra fishermen release trapped whales into the sea, due to this belief
Mehul
Last Updated: 10:26 PM, 11 December 2021
દરિયાના સાગર ખેડૂ પણ જળચર પ્રાણીને પોતાના સંતાન સરીખા ગણતા હોય છે તેની કદાચ આપને ખબર નહિ પણ હોય. પરંતુ, દરિયામાં ઉછળતી-કૂદતી વહેલ શાર્ક માછલીને દરિયા ખેડૂ માછીમારો પોતાની દીકરી જેટલું જ વહાલ કરતા હોય છે. પરિણામે બિછાવેલી જાળમાં, જો વહેલ શાર્ક ફસાઈ જાય તો પોતાની પુત્રી કોઈ ચુંગાલમાં ફસાયાનું દર્દ માછીમારો અનુભવતા હોય છે.
આવી જ એક ઘટના ગીર પંથકના ધામળેજમા બની. એક વહેલ શાર્ક માછલી, માછીમારની જાળમાં આવી ગઈ,પણ દીકરીનો બાપ,એમ કઈ દીકરીનું દર્દ જોઈ શકે ? માછીમારે તુરંત જ મોંધી દાટ જાળ કાપી નાખી,અને વહેલ શાર્ક માછલીને ફરીથી દરિયામાં રમતી મૂકી દીધી
ગીરના દરિયામાં ધામળેજ ગામની બોટ જ્યારે ફિશીંગ કરી રહી હતી ત્યારે જાળમાં અચાનક વ્હેલ-શાર્ક માછલી ફસાતા બોટના માછીમારોએ 'વ્હેલ શાર્ક બચાવો અભિયાન' અંતર્ગત પોતાની કિંમતી જાળ કાપીને વહેલશાર્કને દરિયાના ઊંડા પાણીમાં છોડી મુકી હતી. વ્હેલ-શાર્ક માછલીને સૌરાષ્ટ્રનાં માછીમારો વ્હાલી દીકરી ગણે છે.તેથી વ્હેલશાર્ક નો અહીંના માછીમારો ક્યારેય શિકાર કરતા નથી..
સૌરાષ્ટ્રમાં માતુત્વ ધારણ કરે છે માછલી
સુત્રાપાડા,વેરાવળ અને માંગરોળના દરિયાકાંઠે આવતી શાર્ક વહેલ હજારો નોટીકલ માઈલની સફાર દરમિયાન નાર સાથે સંવનન કરે છે.પોતાની ઈચ્છાથી ગર્ભાધાન કરતુ આ દરિયાઈ વિશિષ્ઠ પ્રાણી 90 દિવસ દરમિયાન ગર્ભ ધારણ કરી અરબ સાગરની દક્ષીણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બછ્ને જન્મ આપવાની ખેવના રાખે છે. દરિયા કિનારો છીછરો હોવાના કારણે સૂર્ય પ્રકાશ ઊંડે સુધી જાય છે પરિણામે, નાના એવા સમુદ્રી જીવને અતિ પૌષ્ટિક ખોરાક પ્રાપ્ત થાય છે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠે માતૃત્વ ધારણ કરવા આવતી આ માછલી માટે જાણીતા રામાયણી મોરારી બાપુએ, દીકરી લઈને આવતી માવતરને 'મારો નહિ,પ્રેમ કરો' જેવી દર્દીલી અપીલ કરતા, જાણે વહેલ શાર્કને અભ્ય્વાર્દાન પ્રાપ્ત થયું છે.પરિણામે, માછીમારો વહેલ શાર્ક ને દીકરી ગણી હૈયે પૂજ્યભાવ ધરાવે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh