બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / વડોદરા / The aunt who raised her since childhood, when she did not give 1000 rupees, killed the young man: Chonkavanaro case in Vadodara
Vishal Khamar
Last Updated: 06:33 PM, 17 October 2023
વડોદરાનાં તરસાલીમાં મહિલાની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે. જેમાં મૃતક મહિલાનાં સગા બહેનનાં દીકરાએ જ હત્યા કર્યાનો ખુલાસો થયો હતો. નયન નામનાં શખ્સ દ્વારા જ સગા માસીની હત્યા કરી હતી. મૃતક મહિલા નિઃસંતાન હોવાથી નયનને નાનપણથી ઉછેર્યો હતો. નયન દ્વારા મહિલાને મારી નાંખી મિલકત હડપવાનો કારસો રચ્યો હતો. આરોપી નયને મહિલા પાસે એક હજાર રૂપિયાની માંગણી કરી હતી. મહિલા દ્વારા નયનને પૈસા ન આપતા નયને ઉશ્કેરાઈ જઈ હેમંતની મદદથી નયને વૃદ્ધ મહિલાની હત્યા કરી દીધી હતી. ત્યારે હત્યા કર્યા બાદ આરોપીઓ વડોદરાથી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે બંનેને મોબાઈલ લોકોશનનાં આધારે ઝડપી પાડ્યા છે.
એફએસએલ દ્વારા પણ તપાસ હાથ ધરી હતી
વડોદરાનાં તરસાલી વિસ્તારમાં રહેતા સુલોચનાબેન અમીનનો મૃતદેહ ઘરમાંથી મળી આવતા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા મકરપુરા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચનાં અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ એફએસએલ ટીમ પણ ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પ્રોપર્ટીને લઈ નયને વૃદ્ધાની હત્યા કરી
આ બાબતે ડીસીપી લીના પાટીલે જણાવ્યું હતું કે સુલોચનાબેન અમીન દ્વારા તેમનાં જેઠનાં દિકરાની વારસદાર તરીકે ઘર તેમજ પ્રોપર્ટી આપેલ હતી. ત્યારે આ મિલકત મૃતક મહિલા દ્વારા નયને ન આપવાનાં કારણે નયને હેમંતની મદદ લઈ સમગ્ર કાવતરૂ ઘડી કાઢ્યું હતું. આ મર્ડર રાતે 11.30 આસપાસ થયેલું છે. તેમજ આ મર્ડર કર્યા બાદ તેઓ કરજણ અને કરજણથી છાણી જઈ આરોપીઓ પાવાગઢ ગયા હોવાનું તેઓનાં લોકેશનનાં આધારે જાણવા મળ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh