બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / વડોદરા / The aircraft will be built by Airbus in collaboration with the Tata Group in Vadodara
Malay
Last Updated: 09:41 AM, 30 October 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. જ્યાં તેઓ વડોદરા, થરાદ અને માનગઢના કાર્યક્રમમાં હાજરી આપશે. PM મોદી આજે બપોરે વડોદરા પહોચશે. જ્યાં એક ભવ્ય રોડ શો કરીને સભાને સંબોધશે. ત્યાર પછી C-295 ટ્રાન્સપોર્ટેશન વિમાન બનાવવા માટેના પ્લાન્ટનું વડોદરામાં PM મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. અહિંયા 56 ટ્રાન્સપોર્ટેશન વિમાન બનાવવા માટે ભારત સરકારે 21 હજાર કરોડની એયરબસ કંપની સાથે ડીલ કરી છે. એયરબસ કંપની યુરોપીયન કંપની છે જે ભારતમાં C-295 માલવાહક વિમાનનું મેન્યુફેક્ચરિંગ કરશે. જેમાં ટાટા ગ્રુપ સાથે મળીને એયરબસ કંપની C-295 વિમાનનું નિર્માણ કાર્ય કરશે.
Prime Minister Shri @narendramodi will lay the Foundation Stone for India’s first transport aircraft manufacturing project at Vadodara, Gujarat on October 30, 2022. pic.twitter.com/431Y25Agqc
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) October 27, 2022
વડોદરામાં બનશે C-295 વિમાન!
ભારત આત્મનિર્ભર અને મેક ઇન ઇન્ડિયા તરફ આપણો દેશ મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ આપણા ગુજરાતના વડોદરા શહેરમાં ટાટા અને એરબસ એ મળીને સંયુક્ત રીતે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તૈયાર કરશે. C-295 માલવાહક વિમાન બનાવવા માટે કેન્દ્ર સરકારે એયરબસ કંપની સાથે કરી ડીલ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા 56 ટ્રાન્સપોર્ટેશન વિમાન બનાવવા માટે 21 હજાર કરોડની ડીલ કરવામાં આવી છે. 56 વિમાનમાંથી 16 વિમાન એયરબસ દ્વારા મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે, જ્યારે બાકીના 40 C-295 વિમાન ટાટા અને એયરબસ દ્વારા મેન્યુફેક્ચરિંગ કરાશે. C-295 વિમાન બન્યા પછી વાયુ સેનામાં તેનો સમાવેશ થશે.
યુરોપ સિવાય ભારત દેશમાં આ પહેલો પ્લાન્ટ હશે
આ પ્રથમ વખત હશે જ્યારે આ વિમાનો યુરોપની બહાર બનાવવામાં આવશે. જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2021માં જ ભારતે એરબસ સાથે 56 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો સોદો કર્યો હતો અને આ આખી ડીલ 21 હજાર કરોડ રૂપિયાની હતી. હાલ સરકાર નવા એરક્રાફ્ટને જૂના એવરો 748 એરક્રાફ્ટ સાથે બદલવાની યોજના પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ સાથે આ પહેલી વખત બનશે જે જ્યારે ભારતમાં ખાનગી કંપનીઓ સંયુક્ત રીતે એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. આ પ્લાન્ટમાં વાયુ સેનાને લગતા તમામ પ્રકારના સાધનોનું ઉત્પાદન કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, એયરબસ એક યુરોપીયન કંપની છે જે C-295 વિમાન બનાવે છે. એયરબસ કંપનીનો યુરોપ સિવાય ભારત દેશમાં આ પહેલો પ્લાન્ટ હશે.
જાણો C-295 વિમાનની ખાસિયતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh