બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / Thakor community alleges that the police did not take action in the case of suicide of a female constable in Rajkot's Jetpur
Dinesh
Last Updated: 05:54 PM, 11 September 2023
jetpur lady constable Suicide : રાજકોટના જેતપુરમાં થોડા દિવસ અગાઉ પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. દયાબેન શંભુભાઈ સરિયા નામના મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જે કોન્સ્ટેબલના આપઘાત મુદ્દે કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને ન્યાયની માગ કરી રહ્યાં છે.
કાર્યવાહી ન થયાનો આરોપ
મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યાના 6 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થયાનો કોળી સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, 6 દિવસ પહેલા મહિલા કોન્સ્ટેબલ દયાબેન સરિયાએ આપઘાત કર્યો હતો. આપઘાત કરતાં પહેલાની સમગ્ર ચેટ તેમજ પુરાવા પોલીસને સોંપવામાં આવ્યા છે. તમામ પુરાવા આપ્યા હોવા છતાં 3 પોલીસ કર્મીઓ સામે કોઇ કાર્યવાહી ન થયાનો આરોપ કરાઈ રહ્યો છે.
કોળી સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી
આપને જણાવી દઈએ કે, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પણ પરિવાર સાથે મંત્રણા કરી ચૂક્યા છે. આગેવાનોના સનસનીખેજ આક્ષેપો બાદ પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. પોલીસ કાર્યવાહી ન કરે તો ઉપવાસ પર ઉતરવાની પણ કોળી સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે.
ઠાકોર કોળી સેનાના પ્રમુખનું નિવેદન
ઠાકોર કોળી સેના પ્રમુખ જયેશ ઠાકોરએ જણાવ્યું કે, પોલીસને તમામ પુરાવા આપ્યા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ પોલીસ એવું જણાવી રહી છે કે, મોબાઈલ ફોન એફ એસ એલમાં મોકલવામાં આવ્યો છે. FSLના રિપોટ આવ્યા પછી જ કાર્યવાહી કરાશે. વધુમાં જયેશ ઠાકોરએ જણાવ્યું કે, એમે કેટલાક વ્યક્તિ વિરૂદ્ધ પુરાવા પણ આપ્યા છે પરંતુ પોલીસ કાર્યવાહી કરતી નથી.
દયાબેન બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતાં
અત્રે જણાવી દઈએ કે, દયાબેન જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતાં. જેમણે 6 દિવસ અગાઉ પોલીસ લાઈનમાં આવેલ ક્વાર્ટરમાં પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જે સમગ્ર ઘટનાને પગલે મોબાઈલ ચેટ પણ સામે આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh