બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Malay
Last Updated: 03:01 PM, 23 December 2022
રાજકોટમાં અસામાજીક તત્વોનો આતંક દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે. એક પછી એક ક્રાઇમની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના માધાપર વિસ્તારમાં આવેલા મનહરપુર 1માં અસામાજિક તત્વોએ લોકોના ઘરો પર પથ્થરમારો અને સોડાની બોટલોના ઘા કર્યા હતા. જેના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
થોડા દિવસ અગાઉ નોંધાવી હતી પોલીસ ફરિયાદ
મળતી માહિતી અનુસાર, રાજકોટના મનહરપુરમાં 1માં ગતમોડી રાત્રે 6થી 7 અસમાજિક તત્વોએ પથ્થર અને સોડાની બોટલોના ઘા કર્યા હતા. જેને પગલે મહિલાઓ અને સ્થાનિકો એકઠા થયા હતા. અસામાજિક તત્વોને કારણે મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ સ્થાનિક લોકોએ અસમાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહિલાઓની આંખોમાં આવી ગયા આંસુ
આ અંગે વેદના રજૂ કરતા મહિલાઓના આંખોમાં આંસુ આવી ગયા હતા. સ્થાનિક મહિલાએ આ મામલે જણાવ્યું કે, 'અમારા ઘરે આવીને અવારનવાર આવી રીતે ઘા કરી જાય છે. અમને મારી નાખવાની ધમકી આપે છે. બે મહિનાથી ઘરના બહાર જઈ નથી શકતા.'
પોલીસ કડક કાર્યવાહી કરે એવી સ્થાનિકોની માંગ
તેમણે જણાવ્યું કે, 'અમને મારી જ નાખવા છે. 'તમારાથી થાય એ કરી લો, જામનગર સુધી અમારા છેડા અડે છે' આવી અમને ધમકી આપે છે. અમે એમના નામ નહીં આપી, નામ આપશું તો અમે મુશ્કેલીમાં મુકાશું. તમે તમારી રીતે તપાસ કરીને આમને પકડો.' હાલ પોલીસ આ અસમાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે એવી સ્થાનિકોની માંગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh