બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / Teesta Setalvadan's hand in the conspiracy to overthrow the BJP government in Gujarat
Priyakant
Last Updated: 03:44 PM, 16 July 2022
ગુજરાતના રમખાણોને લઇ SITએ પોતાના રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. પોલીસે સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કર્યો છે. સાથે SITએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપની સરકાર ભંગ કરવા માટે તીસ્તા મોટા ષડયંત્રમાં સામેલ હતી. સેસન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું કે, સેતલવાડ 2002ના રમખાણો બાદ ભાજપ સરકારનો ભંગ કરવા દિવંગત કોંગ્રેસ નેતા એહમદ પટેલના ઈશારા પર કરવામાં આવેલા મોટા ષડયંત્રમાં સામેલ હતી. ભાજપની સરકાર ભંગ કરવા માટે આરોપીઓએ કોંગ્રેસ સાથે અનેક બેઠકો પણ કરી અને એહમદ પટેલ પાસેથી રૂપિયા મેળવ્યા હતા.
સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમનો મોટો ખુલાસો
ગુજરાત રમખાણોને લઈને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ પોતાના રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. પોલીસે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કર્યો છે. SITએ શુક્રવારે કહ્યું હતું કે, તિસ્તા ગુજરાતમાં ભાજપ સરકારને તોડી પાડવાના મોટા કાવતરામાં સામેલ હતી. કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો હતો કે સેતલવાડ 2002ના રમખાણો પછી ભાજપ સરકારને ઉથલાવી પાડવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઈશારે મોટા કાવતરામાં સામેલ હતા.
સુનાવણી સોમવાર સુધી મુલતવી
સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડની જામીન અરજીનો પોલીસે વિરોધ કર્યો છે. આ તરફ હવે એડિશનલ સેશન્સ જજ ડી.ડી.ઠક્કરે SITનો જવાબ રેકોર્ડ પર લઈ જામીન અરજી પરની સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે. નોંધનીય છે કે, ગુજરાત રમખાણોના મામલામાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવા બનાવવા બદલ પૂર્વ IPS અધિકારીઓ આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સાથે સેતલવાડની ધરપકડ કરવામાં આવી છે.
ભાજપ સરકારને તોડવા માટે તિસ્તાને ફંડ મળ્યું હતું ?
ગુજરાત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે, આ ભવ્ય કાવતરું કરવા પાછળ તિસ્તા સેતલવાડનો રાજકીય હેતુ ચૂંટાયેલી સરકારને ઉથલાવી અથવા અસ્થિર કરવાનો હતો. એફિડેવિટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સેતલવાડે નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવાના પ્રયાસોના બદલામાં ભાજપના હરીફ રાજકીય પક્ષ પાસેથી ગેરકાયદેસર નાણાકીય અને અન્ય લાભો અને પુરસ્કારો મેળવ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh