બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / મનોરંજન / taarak mehta ka ooltah chashmah monika bhadoriya suicidal working torture show makers
Manisha Jogi
Last Updated: 11:34 AM, 6 June 2023
ટીવી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી વિવાદમાં રહે છે. શોની કાસ્ટમાં શામેલ અનેક કલાકાર એક પછી એક આ શો છોડી રહ્યા છે. આ સીરિયલમાં બાવરનું પાત્ર ભજવનાર મોનિકા ભદોરિયાએ આ શો બાબતે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. મોનિકા જણાવે છે કે, તેમની સાથે શોમાં એવું વર્તન કરવામાં આવતું હતું કે, આપઘાતના વિચાર આવતા હતા.
રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર બંસીવાલાએ પણ શો છોડ્યો છે અને મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બાઘાની ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવનાર અભિનેત્રી મોનિકા ભદોરિયાએ પણ ગંભીર આરોપો લગાવ્યા છે.
મોનિકાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન જણાવ્યું કે, પારિવારિક સમસ્યાઓમાંથી પસાર થઈ છે. મોનિકા થોડા દિવસના અંતરે તેમની માતા અને દાદીને પણ ગુમાવ્યા છે. મોનિકા જણાવે છે કે, ‘તેઓ મારા જીવનનો આધાર હતા અને ખૂબ જ પ્રેમથી મોટી કરી હતી. હું આ ગમમાંથી બહાર નીકળી શકી નથી, મને એવું લાગી રહ્યું છે કે, મારું જીવન જ પૂર્ણ થઈ ગયું છે. જે સમયે હું ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાઈ હતી, તે સમયે મારા પર બહુ જ ટોર્ચર કરવામાં આવતું હતું. મારા ઘરની પરિસ્થિતિ અને ટોર્ચરના કારણે હું અંદરથી ખૂબ જ તૂટી ગઈ હતી, હું આપઘાત કરવાની હતી. તેમણે કહ્યું કે, મારા પિતાના નિધન પર મને પૈસા આપવામાં આવ્યા. મારી માઁનું નિધન થયું તો મને પૈસા આપવામાં આવ્યા. આ વાત મને પસંદ આવતી નહોતી.’
અભિનેત્રીનું સપનું અધૂરું રહી ગયું
અભિનેત્રી આગળ જણાવે છે કે, ‘મારું સપનું હતું કે, હું મારા માતા પિતાને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર લઈને જઉં. અહીંયાનું આ પ્રકારનું વાતાવરણ જોઈને મેં સેટ પર ના લાવવાનો નિર્ણય કર્યો. મારી મમ્મી બિમાર હતી અને અંતિમ શ્વાસ લઈ રહી હતી, તે સમયે મેં તેમને સેટ પર લાવવાનો વિચાર કર્યો, પરંતુ તે પણ શક્ય ના બની શક્યું.’ અન્ય કલાકારોની જેમ મોનિકાએ પણ મેકર્સ પર પૈસા ના આપવાનો આરોપ લગાવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir