બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / બોલિવૂડ / Swara Bhaskar targets the government over Atiq Ahmed's murder said This is not a matter of celebration
Megha
Last Updated: 04:22 PM, 16 April 2023
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગઈકાલે રાત્રે અજાણ્યા લોકો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, એ સમયે પોલીસ અતીક અને તેના ભાઈ અશરફને મેડિકલ ચેકઅપ માટે કોલવિન હોસ્પિટલમાં લઈ જઈ રહી હતી. એવામાં અચાનક 3 હુમલાખોરોએ હોસ્પિટલની બહાર પોલીસ પાસેથી પસાર થતાં ફાયરિંગ કર્યું હતું. જો કે આ ઘટના બાદ કેટલાક લોકો આનાથી ખુશ થયા છે તો કેટલાક લોકો તેની આકરી ટીકા કરી રહ્યા છે. આ બધા વચ્ચે બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે એ ઘટનાને લઈને સરકાર પર પ્રહારો કર્યા છે અને હત્યાની નિંદા કરી છે.
સ્વરા ભાસ્કરે ટ્વિટ કરીને કહી આ વાત
જણાવી દઈએ કે સ્વરાએ ટ્વીટ કર્યું, “એકસ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગ અથવા એન્કાઉન્ટર એ ઉજવણી કરવા જેવી બાબત નથી. આ ઘટના સંકેત આપે છે કે રાજ્ય નિયમ વિરુદ્ધ કામ કરી રહ્યું છે અને રાજ્યની એજન્સીઓની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે, કારણ કે તેઓ ગુનેગારોની જેમ કામ કરી રહી છે. આ મજબૂત શાસન નથી, આ અરાજકતા છે."
An extra judicial killing or an encounter is not something to be celebrated. It signals a state of lawlessness. It signals that the State agencies have depleted credibility because they are acting like or enabling criminals. This is not strong governance, this is anarchy.
— Swara Bhasker (@ReallySwara) April 15, 2023
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા અતીકના પુત્ર અસદનું એન્કાઉન્ટર થયું હતું. આ સાથે જ જણાવી દઈએ કે અતીક અને તેના પુત્ર પર રાજુ પાલ હત્યા કેસના સાક્ષી ઉમેશ પાલની હત્યાનો આરપો હતો.
સ્વરા ભાસ્કર થઈ હતી ટ્રોલ
જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને સપા નેતા ફહાદ અહેમદ થોડા દિવસો પહેલા જ ચર્ચામાં હતા કારણ કે અભિનેત્રીએ કોર્ટમાં ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્ન બાદ અભિનેત્રીએ ટ્વિટર પર એક પોસ્ટ પણ કરી હતી. નોંધનીય છે કે સ્વરા ભાસ્કરનો પતિ ફહાદ અહેમદ મુસ્લિમ છે અને સ્વરા હિન્દુ છે, જેના કારણે યુઝર્સ તેમને ખૂબ ટ્રોલ કરતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh