બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Swaminarayan Sampraday now crosses the limit', Jyortinath Maharaj's strong reaction after Dinesh Prasad's defeat

નિવેદન / 'સ્વામિનારાયણ સંપ્રદાય હવે હદ વટાવે છે', દિનેશપ્રસાદના બફાટ બાદ જ્યોર્તિનાથ મહારાજની આકરી પ્રતિક્રિયા

Vishal Khamar

Last Updated: 07:21 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર હનુમાનજી મંદિરનાં વિવાદિત ભીંત ચિત્રો હટાવ્યા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામીજી દ્વારા દેવી-દેવતાઓ વિરૂદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. જેની સામે જ્યોતિનાથ મહારાજ દ્વારા નિવેદન આપ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય હવે હદ વટાવે છે. દિનેશ પ્રસાદનાં નિવેદન બાદ ફરી વિવાદ થવાની શક્યતાઓ છે.

  • સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના બફાટ મુદ્દે જ્યોતિનાથ મહારાજનું નિવેદન 
  • સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ હવે હટ વટાવે છે - જ્યોતિનાથ
  • સ્વામિનારાણય સંપ્રદાય સનાતન ધર્મના પ્રતિકો વાપરવાનું બંધ કરે - જ્યોતિનાથ 

 સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વિવાદિત ભીંત ચિત્રોને લઈ વિવાદ થતા તાત્કાલિકા ધોરણે વિવાદિત ભીંત ચિત્રો હટાવવામાં આવ્યા હતા. જે બાદ સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનેક સાધુ-સંતો નારાજ હતા. ત્યારે આજે રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયનાં આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ દેવી-દેવતાઓ વિરૂદ્ધ બફાટ કરી રહ્યા છે. ત્યારે દિનેશ પ્રસાદનાં બફાટને લઈ જ્યોતિનાર્થ દ્વારા નિવેદન આપ્યું છે.
સ્વામિનારાયણના સંપ્રદાયના બફાટને ચાંખી ન લેવાય - જ્યોતિનાથ 
સ્વામિનારાયણ સંપ્રદાયનાં દિનેશ પ્રસાદનાં નિવેદન મુદ્દે જ્યોતિનાથ મહારાજ દ્વારા આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય હવે હદ વટાવે છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનાં પ્રતિક વાપરવાનું બંધ કરે. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરોમાં સ્થાપિત કરેલા ભગવાન અમને સોંપી દો. તેમજ હવે સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ દ્વારા કરવામાં આવતા બફાટને સાંખી નહી લેવાય.

'આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે સંબંધ રાખવાનો નથી'
વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ કહી રહ્યા છે કે, દેવી-દેવતા કાઢવાના છે, ભગવાનની આજ્ઞા છે, આ જે કંઈ થાય છે તે ભગવાનની લીલા સમજીને ચાલો. ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી કૂરાજી થઈ ગયા છે અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. સ્વામિનારાયણ ભગવાન આપડો આખો ધર્મ અલગ કરી રહ્યા છે. હિન્દુ ધર્મના એવા લોકો કે જેઓ દેવી-દેવતાને માનતા નથી, તેઓએ સ્વામિનારાયણ ભગવાન સ્વીકારશે. 
કોઈ સનાતનીએ આવવાની જરૂર નથીઃ દિનેશ પ્રસાદ
તેઓ કહી રહ્યા છે કે, મારા ભગવાન અંતર્યામી છે, કોઈ સનાતનીએ આવવાની કોઈ જરૂર નથી. સનાતન ધર્મ પાડતા લોકોએ મારી બાજુ ફરકવું નહીં. હિન્દુ દેવી-દેવતાને ન માનનારા લોકોને સ્વામિનારાયણ ભગવાન સ્વિકારશે. ભગવાનની આજ્ઞા સિવાયના સંપ્રદાયો હવે બંધ થવાના છે અને આપણે મંદિરોમાંથી અન્ય દેવી-દેવતાઓને કાઢવાના છે.
સનાતન ધર્મના લોકોમાં આક્રોશ 
આપને જણાવી દઈએ કે, સ્વામિનારાયણ સંપ્રદાયના આચર્ય દિનેશ પ્રસાદનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીનો આ વીડિયો વિવાદમાં વધુ ઘી રેડે અને આગ પ્રસરાવે તેવો છે. જેનાથી ફરી વિવાદ પ્રસરે તેવું લાગે છે. આ વીડિયોને લઈને સનાતનીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ