બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / surya gochar will be harmful for these 6 Rashi

Surya Gochar 2023 / ઓફિસમાં કામ કરતાં હોવ તો થોડા દિવસ સાચવજો! સૂર્યના ગોચરના કારણે અચાનક જ વધી શકે છે સમસ્યા, બોસ સાથે થઈ શકે છે ઝઘડો

Bijal Vyas

Last Updated: 04:54 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યનું આ ગોચર કેટલીક રાશિના જાતકોની કારકિર્દીમાં ઉન્નતિ કરશે, જ્યારે કેટલીક રાશિના જાતકોને આ સંક્રમણને કારણે પૈસા અને કારકિર્દીમાં ભારે નુકસાન થઈ શકે છે.

  • સૂર્યના ગોચર વૃષભ રાશિના જાતકો માટે અશુભ છે
  • મિથુન રાશિના જાતકોના જીવનમાં બિનજરુરી સમસ્યા ઉભી થશે 
  • આ રાશિના લોકોના પરિવારીક સંબંધો બગડી શકે છે 

Surya Gochar 2023: સૂર્ય 15 જૂનના રોજબુધ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનું આ ગોચર કેટલીક રાશિના જાતકોની કારકિર્દીમાં ઉન્નતિ કરશે, જ્યારે કેટલીક રાશિના જાતકોને આ સંક્રમણને કારણે પૈસા અને કારકિર્દીમાં ભારે નુકસાન થઈ શકે છે. તેમને કાર્યસ્થળ પર પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે, જ્યારે બોસ સાથે વિવાદ થઈ શકે છે. આવો જાણીએ કઈ કઈ 6 રાશિઓ છે જેમને સૂર્ય સંક્રમણની અશુભ અસરોનો સામનો કરવો પડી શકે છે.

1. વૃષભ રાશિ 
સૂર્યના ગોચર વૃષભ રાશિના જાતકો માટે અશુભ માનવામાં આવે છે. તમારા જીવનમાં સમસ્યાઓ વધી શકે છે અને તમારી કારકિર્દીમાં નવી સમસ્યાઓ આવી શકે છે. તમારી વાણીમાં અચાનક કડવાશ વધી શકે છે અને તેના કારણે લોકો સાથે તમારા સંબંધો પર અસર થશે. પારિવારિક સંબંધો પર પણ તેની નકારાત્મક અસર પડશે. આ સમય દરમિયાન તમારા ખર્ચમાં વધારો થશે. પરિવારના કોઈ સભ્યની બીમારી પર તમારા પૈસા ખર્ચ થઈ શકે છે. પ્રોપર્ટીની ખરીદી અને વેચાણમાં તમને નુકસાન થઈ શકે છે. તેથી આ સમય દરમિયાન આવો કોઈ નિર્ણય ન લો.

એકસાથે રાશિ બદલશે શનિ-સૂર્ય: આ રાશિના જાતકોનું ચમકી જશે નસીબ/ surya shani  gochar june 2023 shani vakri these zodiac signs or rashi will lucky

2. મિથુન રાશિ 
સૂર્ય ગોચર મિથુન રાશિના જાતકોના જીવનમાં બિનજરૂરી સમસ્યાઓમાં વધારનારુ માનવામાં આવે છે. તમારું કોઈ મહત્વપૂર્ણ કામ બગડી શકે છે. અચાનક તમારી અંદર આક્રમકતા વધવા લાગશે અને પરિવારના સભ્યો સાથેના તમારા સંબંધો પણ પ્રભાવિત થઈ શકે છે. તમે તમારા જીવનસાથી સાથે જૂની વાતોને લઈને ઝઘડો કરી શકો છો. આ તમારા પ્રિયજનોને તમારાથી દૂર રાખશે. આ સમયે કોઈ જૂનો રોગ ફરી ઉભરી શકે છે. તમને તમારા સહકર્મીઓનો એટલો સહયોગ મળી શકશે નહીં અને તમારા કાર્યસ્થળ પર તણાવનું વાતાવરણ રહેશે.

3. તુલા રાશિ 
સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરવા પર તુલા રાશિના લોકોના પરિવારમાં અચાનક સમસ્યાઓ વધી શકે છે અને તમારા પિતા સાથેના તમારા સંબંધો બગડી શકે છે. તમારા સ્વાસ્થ્ય પર ઘણી પ્રતિકૂળ અસર થઈ શકે છે અને તમારે મુસાફરી કરવાથી થોડું નુકસાન સહન કરવું પડી શકે છે. નોકરી અને વ્યવસાયમાં તમારે વધુ મહેનત કરવી પડશે અને તમને તે પ્રમાણમાં સફળતા નહીં મળે. મુસાફરી કરતી વખતે તમારા સામાનની સુરક્ષાનું ધ્યાન રાખો.નોકરી કરનારાઓની બદલી માટેના ઓર્ડર આવી શકે છે અને તે તમારી સમસ્યાઓમાં વધુ વધારો કરી શકે છે. પરિવારમાં ભાઈ-બહેન સાથેના તમારા સંબંધોમાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવી શકે છે. તમારે આ સમયે કોઈપણ બાબતમાં સફળતા મેળવવા માટે વધુ સંઘર્ષ કરવો પડી શકે છે.

4. વૃશ્ચિક રાશિ 
સૂર્ય ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ માનવામાં આવતું નથી અને તમારા જીવનમાં સમસ્યાઓ ખૂબ વધી શકે છે. તમારે કોઈ કારણ વગર કોર્ટ કચેરીના ચક્કરમાં ફસાવું પડી શકે છે. તમારે અમુક પ્રકારની સરકારી સૂચનાનો પણ સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળમાં આ સમયે, ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને કોઈપણ કારણ વિના અન્ય લોકોની વચ્ચે બોલશો નહીં. કોઈની સાથે વાદ-વિવાદ કે ચડભળને કારણે તણાવ વધી શકે છે અને તમને કામ કરવામાં મુશ્કેલી પડી શકે છે. આવક વધારવા માટે કોઈ ખોટો રસ્તો પસંદ ન કરો. નહિંતર, તમારી સમસ્યાઓ ઘણી વધી શકે છે અને તમે કોઈપણ કારણ વગર મુશ્કેલીઓમાં ફસાઈ શકો છો. તમારા પરિવારમાં નકારાત્મક વાતાવરણ રહેશે અને તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

17 ઑગષ્ટ સુધી સૂર્યની જેમ ચમકશે આ રાશિના જાતકોનું નસીબ, જાણો કોનો થશે  ભાગ્યોદય | four zodiac sign benefits by sun zodiac change

5. ધન રાશિ 
ધન રાશિના જાતકોનાં અંગત જીવન માટે સૂર્યનું આ ગોચર  જ અશુભ અસર આપનારું માનવામાં આવે છે. તમારે ઘરમાં લડાઇ- ઝઘડાઓનો સામનો કરવો પડી શકે છે અને તમારા જીવનસાથી સાથે અહંકારનો સંઘર્ષ વધી શકે છે. સંક્રમણની અસરથી તમારા જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. વેપારમાં તમને કોઈ કારણસર નુકસાન થઈ શકે છે. આ સમયે તમે કોઈ ખોટા નિર્ણયને કારણે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. મુસાફરી દરમિયાન તમારે તમારા સામાનની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ.

6. મીન રાશિ 
સૂર્ય ગોચરને કારણે મીન રાશિના લોકોના જીવનમાં ખૂબ જ તણાવ રહેશે અને તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમને કોઈપણ પ્રકારની મિલકત ખરીદવા અને વેચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો તમારો કોઈ કેસ પેન્ડિંગ હોય તો તેનું સમાધાન થઈ શકે છે. તમારા જીવનમાં કેટલીક પરેશાનીઓ અને તણાવ વધી શકે છે. આ સમયે તમારે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તણાવને કારણે તમને અનિદ્રા સમસ્યા વધી શકે છે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ