બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / surat morbi girls cases of love jihad

પેંતરા / મોરબીમાં આસિફે અશોક બની છેતરી! સુરતમાં ત્રણ યુવતીઓને વિધર્મીઓએ ભગાડી, લવજેહાદના કિસ્સા ચિંતાજનક

Kishor

Last Updated: 07:48 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં વિધાર્મિએ સગીરાને ફસાવી બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે જ્યારે સુરતના કતારગામમાં એક માસમાં 3 યુવતીઓને વિધર્મી ભગાડી જતા લોકોએ આ અંગે કાર્યવાહીની માંગ ઉઠાવી છે.

  • મોરબીમાં વિધાર્મિએ સગીરાને ફસાવી
  • કતારગામ વિસ્તારમાં લવ જેહાદને લઈ વિરોધ
  • લવ જેહાદને લઈ તાત્કાલિક કાર્યવાહી કરવાની લોકોની માંગ


લવ જેહાદના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. વિધર્મીઓ દ્વારા યુવતીઓને ફસાવી લવ જેહાદ કરતા હોવાના અનેક કિસ્સાઓ છે. જેમાં દિલ્લીનો શ્રદ્ધા મર્ડર કેસ, ઝારખંડમાં આદિવાસી મહિલાની હત્યા જેવી ભયાનક ઘટનાઓ ચાડી ખાઈ રહી છે. મોરબીમાં પણ યુવતીઓને ફસાવવા વિધર્મીઓ દ્વારા જુદાજુદા પેંતર રચવામાં આવતા હોવાનું સામે આવી રહ્યું છે.


મોરબીની ચોંકાવનારી ઘટના

જેમાં વિધાર્મિએ હિન્દુ નામ ધારણ કરી સગીરાને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાઇ હતી. તો બીજી ઘટના સુરતના કતારગામમાં એક જ માસમાં ત્રણ યુવતીઓને વિધર્મી લોકો ભગાડી ગયાનું સામે આવ્યું છે. આશિફ ઉર્ફે અશોક મામદભાઈ મકરાણી (રહે. મકરાણીવાસ મોરબી)એ તે પાંચ વર્ષ પહેલા ધો. 10 માં ભણતી હતી ત્યારે ચિઠ્ઠી ફેંકીને આપી હતી અને સંપર્કમાં આવ્યો હતો અને ત્યાર બાદ બન્ને વચ્ચે વાતચિત શરૂ થઈ હતી. ત્યારે તેને પોતાનું નામ અશોક જણાવેલ હતું. અને ઇન્દિરાનગરમાં તેના ભાડાના મકાનમાં લઈ ગયો હતો. થોડીવાર વાતચીત કરી શરીર સબંધ બાંધવા કહ્યું હતું ત્યારે તેને ના કહેતા આ શખ્સે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.આથી સગીરાના પરિવારજનોને જાણ થતાં અંતે એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાઇ હતી. જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીને દબોચી લીધો હતો.  તેના રીમાન્ડ લેવા આગળની કાર્યાવહી હાથ ધરી છે.

સુરતમાં એક માસમાં ત્રણ યુવતીઓને વિધર્મીઓ ભગાડી ગયા 

બીજી બાજુ સુરતના કતારગામ વિસ્તારમાં એક મહિનામાં કતારગામમાં ત્રણ યુવતીઓને વિધર્મીઓ ભગાડી ગયા હોવાનું સામે આવ્યું છે. જેને પગકે કતારગામ વિસ્તારમાં લવ જેહાદને લઈ વિરોધ કરાયો હતો.કતારગામમાં બાપા સીતારામ ચોક ખાતે લોકોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં લોકોએ સૂત્રોચ્ચાર અને બેનરો સાથે આક્રોશ ઠાલવ્યો હતો અને લવ જેહાદને લઈ તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ