બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Supreme Court's important decision in favor of migrant laborers, said- make ration cards available in 3 months
Megha
Last Updated: 09:17 AM, 21 April 2023
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સરકારી પોર્ટલ ઈ-શ્રમ પર નોંધાયેલા પ્રવાસી મજૂરોને રેશન કાર્ડ આપવા માટે ત્રણ મહિનાનો વધુ સમય આપ્યો છે. જણાવી દઈએ કે આ વિશે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના પોર્ટલ પર રજિસ્ટર્ડ પરપ્રાંતિય કે પ્રવાસી મજૂરોને રેશન કાર્ડ આપવા માટે વ્યાપક પ્રચાર કરવો જોઈએ જેથી તેઓ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ લાભ મેળવી શકે.
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ અરજદાર અંજલિ ભારદ્વાજ, હર્ષ મંડેર અને જગદીપ છોકર દ્વારા દાખલ કરાયેલી અરજી પર આવ્યો હતો. આ લોકોએ માંગ કરી હતી NFSA હેઠળ રેશન ક્વોટાથી અલગ પ્રવાસી મજૂરોને રાશન આપવામાં આવે.
દરેક નાગરિકને યોજનાઓનો લાભ મળવો જોઈએ
આ માંગ પર સુપ્રીમ કોર્ટે 17 એપ્રિલે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો ફક્ત આ આધાર પર પ્રવાસી મજૂરોને રેશન કાર્ડ આપવાની મનાઈ કરી શકે નહીં કે તેઓ NFSA હેઠળ વસ્તીનો ગુણોત્તર યોગ્ય રીતે જાળવવામાં આવ્યો નથી. કોર્ટે કહ્યું કે દરેક નાગરિકને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળવો જોઈએ.
SC gives States, UTs three months for providing ration cards to migrant labourers
— ANI Digital (@ani_digital) April 20, 2023
Read @ANI Story | https://t.co/FD1W8m5S4v#SupremeCourt #RationCard #MigrantLabours pic.twitter.com/oXeSwu4IVt
3 મહિનાનો સમય આપીએ છીએ
આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કલ્યાણકારી યોજના રાજ્યના લોકો સુધી પંહોચે એ સરકારની ફરજ છે, અમે એમ નથી કહી રહ્યા કે સરકાર પોતાની ફરજ બજાવી રહી નથી અથવા નિષ્ફળ ગઈ છે. આમાં પણ કોઈ બેદરકારી દાખવવામાં આવી નથી. તેમ છતાં માની લઈએ કે કેટલાક લોકોને છોડી દેવામાં આવ્યા છે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જોવું પડશે કે તેઓને રેશન કાર્ડ મળે .અમે સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 3 મહિનાનો સમય આપીએ છીએ કે તેઓ ગુમ થયેલા રાશન કાર્ડ જારી કરે અને સ્થળાંતર કરનારાઓને પોર્ટલ પર રજીસ્ટર કરે. આ કેસની આગામી સુનાવણી 3 ઓક્ટોબર 2024ના રોજ થશે.
નોંધનીય છે કે આ કેસની સુનાવણી જસ્ટિસ એમઆર શાહ અને અસનુદ્દીનની બેન્ચ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir