બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Arohi
Last Updated: 12:35 PM, 19 July 2023
બોલિવુડના અન્ના સુનીલ શેટ્ટી હાલ ટામેટાના કારણે ખૂબ જ ચર્ચામાં છે. હકીકતે એક્ટરે હાલમાં જ ટામેટાની વધતી કિંમતો પર નિવેદન આપ્યું હતું. જેના બાદ સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે. સતત એક્ટરને તેના નિવેદનના કારણે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. હવે ટ્રોલિંગથી પરેશાન થઈને અભિનેતાએ તેના પર સ્પષ્ટતા આપી છે. આવો જાણીએ શું છે સમગ્ર વિવાદ.
સુનીલ શેટ્ટીએ ટામેટા પર આપ્યું વિવાદિત નિવેદન
દેશમાં લોકો હાલ ટામેટાની વધતી કિંમતોથી પરેશાન છે. એવામાં સુનીલ શેટ્ટીએ પણ પોતાના ઘરની સ્થિતિ શેર કરી અને જણાવ્યું કે તેની અસર તેમના કિચનમાં પણ પડી રહી છે. કારણ કે તેમનો પરિવાર ફ્રેશ શાકભાજી ખાવાનું પસંદ કરે છે. એક્ટર પોતાના ફોન એપથી શાકભાજી ઓર્ડર કરે છે. જેના ભાવમાં માર્કેટની તુલનામાં ખૂબ ફરક હોય છે.
હવે એક્ટરે ખેડૂતોની માંગી માફી
હવે સુનીલ શેટ્ટીના આ નિવેદને સોશિયલ મીડિયા પર બબાલ ઉભો કરી દીધો છે. લોકો એક્ટરને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. એવામાં સુનીલ શેટ્ટીએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા ખેડૂતોની માફી માંગી છે.
તેમણે કહ્યું, "હું ખેડૂતોનું સમર્થન કરૂ છું. હું તેમના વિશે ખોટી ધારણા રાખવા વિશે વિચારી પણ નથી શકતો. મેં હંમેશા તેમના સમર્થનની સાથે કામ કર્યું છે. હું ઈચ્છુ છું કે અમે પોતાના દેશી ઉત્પાદનોને પ્રોત્યાહન આપીએ અને આપણા ખેડૂતોને હંમેશા માટે ફાયદો મળે."
મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું
સુનીલ શેટ્ટીએ આગળ કહ્યું, "હું મારા દેશના બધા ખેડૂતોની ઈજ્જત કરૂ છું. જો તેમને મારી કોઈ પણ વાચનું ખોટુ લાગ્યું હોય કે તેમને ઠેસ પહોંચી હોય તો હું બધાની માફી માંગુ છું. કૃપા મારા નિવેદનને ખોટી રીતે રજૂ ન કરવામાં આવે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh