બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Dinesh
Last Updated: 12:07 AM, 15 January 2024
પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. મુનવ્વર રાણા લાંબા સમયથી બીમારીથી પીડિત હતા, અત્રે જણાવીએ કે, તેમણે લખનૌના SGPGI ખાતે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધન અંગે તેમના પુત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. મુનવ્વરને તેમની તબિયત બગડતાં 9 જાન્યુઆરીએ લખનૌના SGPGIમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એક શાયર યુગનો અંત!#MunawwarRana #RIP #IndianPoet #IndianUrduPoet #Shahdaba #VTVGujarati #VTVCard pic.twitter.com/fog2yrzQI2
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 14, 2024
ડાયાલિસિસ કરાવવું પડતું હતું
શાયર મુનવ્વર રાણાની તબિયત બગડી ત્યારે તેમને સંજય ગાંધી પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એટલે કે SGPGI દાખલ કરવામાં આવ્યા હતા. જેના પહેલા તેમને બે દિવસ સુધી લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મુનવ્વર રાણા લાંબા સમયથી કિડની ફેલ્યોરથી પીડાતા હતા. જેઓને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડતું હતું.
વાંચવા જેવું: માલદીવમાં આર્મી કેમ તૈનાત, કેટલા જવાનો? મુઈઝ્ઝુની ડેડલાઈન પછી ભારત હટાવશે આર્મી? મોટા સમાચાર
2014માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં
તેઓ કિડનીની બિમારીથી પીડિત હતા. પાપ્ત માહિતી મુજબ તેઓ અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવતા હતા. તાજેતરમાં જ તેમને છાતીમાં દુખાવો ઉપડતા ડોક્ટરો પાસે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે તેઓ ન્યુમોનિયાથી પીડિત હતા. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમના દ્વારા લખાયેલી કવિતા શાહદાબા માટે તેમને 2014માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir