બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kishor
Last Updated: 07:48 PM, 14 August 2023
આજે ખોટા પ્રકારની લાઇફ સ્ટાઇલને પગલે મોટાભાગના લોકોમાં પાઈલ્સએ સૌથી મોટી સળગતી સમસ્યા બની ગઈ છે. જેને આપણે સામાન્ય ભાષામાં બવાસીર તરીકે ઓળખીએ છીએ. ખૂબ જ જટિલ ગણાતી આ સમસ્યા ખરાબ પાચન તંત્રને પગલે જન્મે છે અને તેનાથી વ્યક્તિ ખૂબ જ પરેશાની ભોગવતો હોય છે. આ એક એવી સમસ્યા છે જેમાં મળ માર્ગમાં સોજો આવે છે અને મળનો ત્યાગ કરતી વેળાએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત બેચેની પણ અનુભવાય છે અને ઉઠવા બેસવામાં પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. જો સમયાંતરે તેનો ઈલાજ કરવામાં ન આવે તો ક્યારેક ઓપરેશન કરવાની પણ નોબત આવતી હોય છે. પરંતુ આ સમસ્યા સામે કેટલાક ઘરેલુ ઉપાય એવા છે જેનાથી રાહત મેળવી શકાય છે.
હળદરએ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાથી પ્રાચીન સમયથી જ તેને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે હળદર પાઈલ્સમાં પણ ખૂબ જ રાહતરૂપ સાબિત થઈ શકે છે. હળદરમાં રહેલું કકર્યુંમીન તત્વ તથા એન્ટિસેપ્ટિક અને એન્ટીવાયરલ તથા એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિકારસીનોજેનિક ગુણો પાઈલ્સની સમસ્યા સામે પ્રાથમિક તબ્બકે રાહત આપે છે.
હળદર અને નારિયેળના તેલ
હળદર અને નારિયેળના તેલને મિક્સ કરી બવાસીરમાં લગાવવાથી રાહત મળી રહે છે. હળદરમાં બળતરા દૂર કરવાના ગુણ હોવાથી પીડાથી છુટકરો મળી શકે છે. હળદર અને નાળિયેર તેલને રૂ વડે બવાસીર પર લગાવવું!
ડુંગળીનો રસ અને હળદર
વધુમાં ડુંગળીનો રસ અને હળદર લગાવવાથી પણ રાહત મળે છે. ડુંગળીમાંથી રસ કાઢી લીધા બાદ સરસવનું તેલ અને હળદર મિક્સ કરી પાઈલ્સ પર લગાવી 30 મિનિટ રાખવાથી ફાયદો થઈ શકે છે.
એલોવેરા જેલ અને હળદરની પેસ્ટ
વધુમાં એલોવેરા જેલ અને હળદરની પેસ્ટથી પણ દુખાવામાં રાહત મળે છે. એલોવેરામાં પણ બળતરા દૂર કરવાના ગુણ હોય છે.બીજી બાજુ હળદરમાં સરસવના તેલને ભેળવીને પણ પાઈલ્સ પર લગાવવામાં આવે તો લોહી બંધ થઈ શકે છે અને સોજો પણ ઓછો થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir