બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / shubh muhurt for Akshay Tritiya muhurt for puja and buying gold

ધર્મ / અક્ષય તૃતીયાના દિવસે બની રહ્યો છે આ શુભ સંયોગ, સોનાની ખરીદીનું વધી જશે મહત્ત્વ

Manisha Jogi

Last Updated: 12:31 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અખાત્રીજના દિવસે સોનુ ખરીદવાથી અપાર સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે અનેક શુભ સંયોગ બની રહ્યા છે. આ શુભ સંયોગ વિશે અને શુભ મુહૂર્ત વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  • અક્ષય તૃતીયાના દિવસે શુભ સંયોગનું થશે નિર્માણ.
  • શુભ સંયોગમાં સોનુ ખરીદવાથી આવશે સુખ અને સમૃદ્ધિ.
  • જાણો અખાત્રીજના દિવસે સોનુ ખરીદવાનું શુભ મુહૂર્ત.

હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ માસની શુક્લ પક્ષની ત્રીજના રોજ અખાત્રીજ (અક્ષય તૃતીયા) ઊજવવામાં આવે છે. જે ક્યારેય પણ ના ખૂટે તેને અક્ષય ગણવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે શુભ કામ, જપ અને તપ, દાન પુણ્ય કરવાથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. સોનુ ખરીદવાથી અપાર સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે અનેક શુભ સંયોગ બની રહ્યા છે, જેનાથી સોનાની ખરીદીના મહત્ત્વમાં વૃદ્ધિ થશે. આ શુભ સંયોગ વિશે અને શુભ મુહૂર્ત વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

અક્ષય તૃતીયા 

22 એપ્રિલના રોજ સવારે 07:49 વાગ્યે અક્ષય તૃતીયા શરૂ થશે અને 23 એપ્રિલના રોજ સવારે 07:47 વાગ્યે પૂર્ણ થશે. આ કારણોસર 22 એપ્રિલના રોજ અક્ષય તૃતીયા ઊજવવામાં આવશે. આ દિવસે સૌભાગ્ય દાતા દેવગુરુ ગુરુ ગ્રહ ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. 12 વર્ષ પછી ગુરુ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે, જેથી આ ગોચર શુભ ફળદાયી સાબિત થશે.

પૂજાનું શુભ મુહૂર્ત

22 એપ્રિલ- સવારે 07:49 વાગ્યાથી બપોરે 12:20 સુધી

સોનાની ખરીદી માટે શુભ મુહૂર્ત

22 એપ્રિલના રોજ સવારે 07:49 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે 07:47 વાગ્યા સુધી

શુભ યોગ

પંચાંગ અનુસાર આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે 6 શુભ યોગ બની રહ્યા છે, જેનાથી આ દિવસના મહત્ત્વમાં વૃદ્ધિ થશે. સોના ચાંદીની ખરીદી કરવાથી માઁ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

આયુષ્માન યોગ- 21 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યાથી 22 એપ્રિલના રોજ સવારે 9:26 વાગ્યા સુધી
સૌભાગ્ય યોગ- 22 એપ્રિલના રોજ સવારે 9:26 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે 8:22 વાગ્યા સુધી
ત્રિપુષ્કર યોગ- 22 એપ્રિલના રોજ સવારે 5:49 વાગ્યાથી સવારે 7:49 વાગ્યા સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ- 22 એપ્રિલના રોજ સવારે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી
રવિ યોગ- 22 એપ્રિલના રોજ સવારે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી
અમૃત સિદ્ધિ યોગ- 22 એપ્રિલના રોજ સવારે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ