બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Bijal Vyas
Last Updated: 06:40 PM, 4 May 2023
Shani Jayanti 2023 : હિંદુ ધર્મમાં શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે કારણ કે શનિ કર્મો અનુસાર ફળ આપે છે. બીજી તરફ, શનિની ખરાબ દ્રષ્ટિ પડે તો જીવનનો નાશ કરવા માટે પૂરતી છે. એટલા માટે વ્યક્તિએ શનિ દોષ, શનિની સાડા સાતીની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે ઝડપી ઉપાયો કરવા જોઈએ. શનિ દોષ, સાડા સાતી વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક કષ્ટ આપે છે. બીમારીઓ-ટેન્શન વ્યક્તિને ઘેરી વળે છે, ધનહાનિ થાય છે, કરિયરમાં તકલીફો આવે છે. જો તમે પણ શનિના કારણે આવી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો 19 મે, 2023, શનિ જયંતિના દિવસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
શનિ જયંતી અપાવશે કષ્ટોથી રાહત
શનિ જયંતીના દિવસે જો કેટલીક પૂજા અને ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ જીવનની અનેક પરેશાનીઓ અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે છે. આ સાથે કાર્યોના શુભ પરિણામ પણ આવવા લાગે છે. શનિ જયંતીના દિવસે શનિદેવની સાતી, મહાદશાના ઉપાય કરવા માટે ખૂબ જ શુભ છે.
શનિ જયંતી 2023 તિથિ અને શુભ મુહુર્ત
હિંદુ કેલેન્ડર મુજબ, જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 18મી મેના રોજ રાત્રે 09.42 કલાકથી શરૂ થશે અને 19મી મેના રોજ રાત્રે 09.22 કલાકે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર, શનિ જયંતી શુક્રવાર, 19 મે 2023 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શોભન યોગ પણ બની રહ્યો હોવાથી શનિદેવની પૂજા અને ઉપાય કરવાથી અનેકગણું ફળ મળશે. શનિ જયંતિના દિવસે સવારથી સાંજના 06.17 સુધી શોભન યોગ રહેશે.
શનિ જયંતી પૂજા વિધિ
શનિ જયંતી પર સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો. આ દિવસે પણ ઉપવાસ કરવો વધુ સારું રહેશે. જો તમે વ્રત ન રાખતા હોય તો પણ આ દિવસે નોન-વેજ, આલ્કોહોલનું સેવન કરવાની ભૂલ ન કરો. શનિ જયંતીના દિવસે શુદ્ધ ભોજન કરો અને સારા કામ કરો. ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરો. શનિ મંદિરમાં જઈને શનિદેવને તેલનો અભિષેક કરો. તેમને સુગંધ, ફૂલ, તેલથી બનેલી મીઠાઈઓ અથવા ઈમરતી અર્પણ કરો. વાદળી ફૂલ ચઢાવો. ધૂપ, પ્રકાશ કરો. શનિ ચાલીસા વાંચો. શનિ મંત્રોનો જાપ કરો.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir