બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Vaidehi
Last Updated: 04:31 PM, 22 June 2023
હાલમાં જ ખાલિસ્તાની આંતકી હરદીપ સિંહ નિજ્જર અને પરમજીત સિંહ પંજવારની હત્યાં અને બ્રિટનમાં અવતાર સિંહ ખાંડાની શંકાસ્પદ મોત બાદ બીજા આતંકીઓ પણ ભયભીત થયાં છે. તે અમેરિકા, કેનેડા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં છૂપાઈ ગયાં છે.અમેરિકામાં રહેતો Sikh For Justice ચીફ ગુરપતવંત સિંહ પન્નૂ જે ખાલિસ્તાન જનમત સંગ્રહ ચલાવી રહ્યો છે તે પોતાના નજીકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ 3 દિવસથી અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો છે.
નિજ્જર અને પન્નૂ એકસાથે કામ કરતાં હતાં
પન્નૂ અને નિજ્જર બંને એકસાથે કામ કરી રહ્યાં હતાં અને જનમત સંગ્રહ અભિયાન શરૂ કરવા માટે ઑસ્ટ્રેલિયા પણ ગયાં હતાં. જો કે નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સ KTFનું નેતૃત્વ પણ કરી રહ્યો હતો પરંતુ તેણે 2019ની સાલમાં ગુરપતવંત સિંહ પન્નૂ સાથે હાથ મળાવી લીધો. આ બાદ તેમણે કેનેડામાં 2020ની સાલમાં જનમત સંગ્રહ અભિયાન શરૂ કરવાનું કામ ચાલુ કર્યું જે બાદ પન્નૂ કેનેડામાં શીખ ફોર જસ્ટિસનો મુખ્ય ચહેરો પણ બની ગયો . તેણે સરે અને વેંકૂવરમાં અનેક પ્રદર્શનો અને કાર રેલીઓનું આયોજન પણ કર્યું હતું.
નિજ્જરનાં મૃત્યુ બાદ પન્નૂએ પ્રચાર બંધ કર્યો
સૂત્રો અનુસાર નિજ્જરનાં મૃત્યુ બાદ ગુરપત સિંહ પન્નૂએ પોતાનો પ્રચાર પણ બંધ કરી દીધો છે. તેણે નિજ્જરનાં સમર્થનમાં કોઈ વીડિયો કે ઓડિયો મેસેજ પણ પબ્લિશ નથી કર્યો. જો કે નિજ્જરની હત્યા બાદ કેનેડામાં અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં જેમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત વિરોધી નારાઓ પણ લગાવવામાં આવ્યાં હતાં. સામાન્યરીતે પન્નૂ ભારતમાં થનારી આતંકી ઘટનાઓનો શ્રેય લેતો હોય છે પરંતુ બ્રિટનમાં અવતાર સિંહ ખાંડાની રહસ્યમય મોત અને અન્ય 2 આંતકીઓનાં મૃત્યુ બાદ તેણે મૌન ધારણ કરી લીધું છે.
પન્નૂએ PM મોદીને પણ આપી હતી ધમકી
ભારત સરકારની તરફથી પન્નૂને ડેઝિગ્નેટેડ આતંકી ઘોષિત કરી દેવામાં આવ્યું છે. તેણે ગત એપ્રિલમાં PM મોદીને ધમકી આપી હતી. 14 એપ્રિલ 2023નાં PM અસમની યાત્રાએ હતાં તે દરમિયાન પન્નૂએ સ્થાનીક પત્રકારોને એક રેકોર્ડેડ મેસેજ મોકલ્યો. આ ઓડિયોમાં ધમકી મળ્યાં બાદ અસમનાં CM હિમંત બિસ્વા સરમાની સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh