બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / વિશ્વ / Sex scandal, resignation of ministers and fraud, cause British PM Jones to lose his seat and reputation
Priyakant
Last Updated: 11:03 AM, 8 July 2022
યુકેના રાજકારણમાં ચોંકાવનારા વળાંક બાદ અનેક વાતો સામે આવી રહી છે. મહત્વનું છે કે, યુકે સરકારમાં મંત્રીઓએ અચાનક પીએમ બોરિસ જોન્સનનું સમર્થન છોડવાનું શરૂ કર્યું હતું. જે બાદમાં તો રાજીનામાનો ધમધમાટ જામ્યો અને બાદમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે આમ કર્યું કારણ કે તે ચારેબાજુ વિવાદોમાં ફસાઈ ગયા હતા. પાર્ટીની અંદર ઘણા સમયથી બળવાના અવાજો ઉઠી રહ્યા હતા. જે બાદમાં એક સાથે 50 જેટલા રાજીનામાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બોરિસ જોન્સનને રાજીનામું આપવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી. આ તરફ 30 જૂનના રોજ, યુકેના અખબાર ધ સનમાં એક અહેવાલ પ્રકાશિત થયો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શાસક કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય ક્રિસ પિન્ચરે લંડનની એક ખાનગી ક્લબમાં કથિત રીતે બે પુરુષોને વાંધાજનક રીતે સ્પર્શ કર્યો હતો, જેને લઈને પણ રાજકારણ ગરમાયું હતું.
જાણો કેમ આપ્યું વડાપ્રધાને રાજીનામું ?
ગઈકાલે રાત્રે લંડનમાં યુકેના વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર લોકો અને પત્રકારોની ભીડ હતી. કારણ કે એ નક્કી હતું કે, વડાપ્રધાન બોરિસ જોન્સન દેશને પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરશે. બોરિસ જોન્સન આવ્યા અને તેમના રાજીનામાની જાહેરાત કરી. તેમણે તેમના સંબોધનમાં કહ્યું, "તે સ્પષ્ટ છે કે સંસદીય કન્ઝર્વેટિવ પાર્ટીની ઈચ્છા છે કે એક નવો નેતા હોવો જોઈએ, તેથી નવા વડા પ્રધાન હશે અને હું અમારા સાંસદોના અધ્યક્ષ સાથે સંમત છું કે નવો નેતા હોવો જોઈએ. ચૂંટાયા." તેનું ટાઈમ ટેબલ આવતા અઠવાડિયે જણાવવામાં આવશે. જ્યાં સુધી નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી હું સેવા ચાલુ રાખીશ."
રાજીનામાં બાદ અનેક ચર્ચાઓ
બોરિસ જોન્સનના રાજીનામાં બાદ હવે એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, બોરિસ જોનસન ઓક્ટોબર સુધી પોતાના પદ પર રહેશે અને આ દરમ્યાન તેમની કન્ઝર્વેટિવ પાર્ટી વડાપ્રધાન માટે નવા નેતાની પસંદગી કરશે. પણ સવાલ એ છે કે આ બધું કેવી રીતે થયું ? આખરે, બોરિસ જ્હોન્સનનું રાજીનામું શા માટે થયું ? હકીકતમાં, બોરિસ પર હવે તેમના પોતાના મંત્રીઓ અને સરકારના સભ્યોને વિશ્વાસ નહોતો. એક પછી એક તમામ મંત્રીઓ રાજીનામા આપી રહ્યા હતા. બોરિસ જોન્સનના રાજીનામા પહેલા તેમની સરકારના 50 થી વધુ સભ્યોએ રાજીનામું આપી દીધું હતું.
બળવા માટેનું એક કારણ આ પણ હોવાની ચર્ચા
આ સમગ્ર બળવો બોરિસ જોન્સનની પાર્ટીના સાંસદ ક્રિસ પિન્ચરના કારણે થયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 30 જૂનના રોજ, યુકેના અખબાર ધ સનમાં એક અહેવાલ પ્રકાશિત થયો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શાસક કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય ક્રિસ પિન્ચરે લંડનની એક ખાનગી ક્લબમાં કથિત રીતે બે પુરુષોને વાંધાજનક રીતે સ્પર્શ કર્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં, બોરિસ જ્હોન્સને પિન્ચરને પાર્ટીના ડેપ્યુટી ચીફ વ્હીપ તરીકે નિયુક્ત કર્યા હતા. પરંતુ આ આરોપો સામે આવ્યા બાદ પિન્ચરે રાજીનામું આપવું પડ્યું હતું. તાજેતરના વર્ષોમાં પિન્ચરના કથિત જાતીય હુમલાના વધુ છ કેસો દ્વારા આ આરોપો અનુસરવામાં આવ્યા હતા.
આ કથિત કૌભાંડમાં બોરિસ જોન્સનની સંડોવણી કેવી રીતે ?
બોરિસ જોનસન આ કૌભાંડમાં સીધો સંડોવાયેલા નથી. પરંતુ આ કૌભાંડે તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે. 1 જુલાઈના રોજ, યુકે સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન તેમની નિમણૂક પહેલા પિન્ચર સામેના આરોપો વિશે જાણતા ન હતા. પરંતુ 4 જુલાઈના રોજ ખબર પડી કે, બોરિસ જોન્સન શરૂઆતથી જ આવા આરોપોથી વાકેફ હતા. આમ છતાં તેમણે પિન્ચરને પાર્ટીના ડેપ્યુટી વ્હીપ બનાવ્યા. જે બાદ તેમના કેબિનેટ સાથીઓએ એક પછી એક રાજીનામા આપવાનું શરૂ કરી દીધું.
બ્રિટનની સંસદમાં વડાપ્રધાન બરાબરના ઘેરાયા
આ આરોપો બાદ બ્રિટનની સંસદમાં વિપક્ષી લેબર પાર્ટીએ બોરિસ જોનસનને ખખડાવી નાખ્યા હતા. કોર્ટમાં વકીલો જે રીતે આરોપીઓને કરે છે તેવા સવાલોના જવાબ તેમને આપવામાં આવ્યા હતા. આ સંસદીય કાર્યવાહીમાં પણ બોરિસ જ્હોન્સને સ્વીકાર્યું હતું કે તેઓ વાકેફ હતા અને તેમણે માફી પણ માંગી હતી. આ તરફ લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમેરે કહ્યું, "અમે બધાને યાદ અપાવવા માંગીએ છીએ કે જેઓ આ વડાપ્રધાનનો બચાવ કરી રહ્યા છે, પરિસ્થિતિ કેટલી ગંભીર છે." તે જાણતા હતા કે, આ આરોપી મંત્રીઓએ ભૂતકાળમાં પણ આવા નકામા કામો કર્યા છે. પરંતુ તેઓએ તેને બધી શક્તિ આપીને આગળ ધપાવી, શા માટે ? તેના જવાબમાં બોરિસ જોન્સને કહ્યું કે, મને આ આરોપો વિશે જાણ થતાં જ, જે તેણે હમણાં જ કહ્યું છે, મેં કાર્યવાહી કરી અને તેણે કન્ઝર્વેટિવ સાંસદનું પદ પણ ગુમાવ્યું અને તેમની સામે સ્વતંત્ર તપાસ ચાલી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ