બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Selling liquor in baskets not laps: BJP candidate's video goes viral
Priyakant
Last Updated: 01:21 PM, 27 November 2022
ગુજરાત વિધાનસભાનું ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય નેતાઑ મતદારોને રીઝવવા પ્રચારમાં લાગ્યા છે. આ તરફ હવે બનાસકાંઠાના દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવારનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પર દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવારે કહ્યું હતું કે, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ. જોકે તેમના આ નિવેદનનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વેરક થઈ રહ્યો છે.
ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુ પારઘીનો વિવાદિત નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, વિધાનસભાનું ચૂંટણીને લઈ ચૂંટણી સભામાં લાધુ પારઘીએ વિવાદિત નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાધુ પારઘીએ કહ્યું હતું કે, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ.
રાજકોટમાં પણ વિડીયો વાયરલ
એક તરફ વિવાદોનો વંટોળ અને બીજી તરફ પ્રથમ તબક્કાના મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ દરમ્યાન 1 ડિસેમ્બરે રાજકોટમાં મતદાન યોજાવાનું છે. જેને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. ચૂંટણી ટાણે ધર્મના નામે રાજકારણ શરૂ થઈ ગયું છે. રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો છે.
જંગલેશ્વર વિસ્તારમાં બે દિવસ પૂર્વે ઈન્દ્રનીલ રાજ્યગુરુની જાહેરસભા યોજાઈ હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 'મારા પર મહાદેવ અને અલ્લાહ બંન્નેની દયા છે. મારા મતે અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. જંગલેશ્વરમાં હિન્દુ-મુસ્લિમ બંન્ને સરખા લાગે છે. મારે બે નારા મારે એક સાથે બોલવા છે હું અલ્લાહ હું અકબર બોલું તમે મહાદેવ બોલજો.'
વીડિયો વાયરલ થતાં આપી પ્રતિક્રિયા
તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરેલા રાજકોટના ઈન્દ્રનીલ રાજ્યગુરૂનો આ વીડિયો વાયરલ થતા તેમણે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે ભાજપ અડધી ક્લીપ ફેરવીને વિવાદ ઉભો કરે છે. મેં જંગલેશ્વરમાં એકતાનની વાત કરી હતી. હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી નવા-નવા મુદ્દાઓ શોધે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir