બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / search operation Rashtriya Rifles and the Jammu and Kashmir Police and other security forces killed four terrorists
Pravin Joshi
Last Updated: 09:53 AM, 18 July 2023
જમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઠાર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આ અથડામણ પૂંછના સિંધરા વિસ્તારમાં થઈ હતી. સુરક્ષા દળોને સોમવારે સાંજે સિંધરા વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રે 11.30 વાગ્યાની આસપાસ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર પણ થયો હતો. આ પછી આખી રાત આતંકીઓને ઘેરીને નજર રાખવામાં આવી હતી.
J&K | Four terrorists have been killed by the security forces in a joint operation in the Sindhara area of Poonch. The first engagement between security forces took place at around 11:30 pm yesterday after which drones were deployed along with other night surveillance equipment.…
— ANI (@ANI) July 18, 2023
આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થઈ હતી અથડામણ
મંગળવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફરી ગોળીબાર શરૂ થયો હતો. આ દરમિયાન સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા હતા. હજુ સુધી આતંકીઓની ઓળખ થઈ શકી નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ આતંકવાદીઓ વિદેશી છે. આ પહેલા જૂન મહિનામાં સુરક્ષા દળોએ કુપવાડામાં પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. આ તમામ આતંકવાદીઓ વિદેશી નાગરિકો હતા.
ઘાટીમાં 50 આતંકીઓ સક્રિય
હાલમાં ઘાટીમાં સક્રિય આતંકવાદીઓની સંખ્યા 50ની આસપાસ છે. આ સિવાય ઘાટીમાં હાલમાં 20-24 વિદેશી આતંકીઓ છે. કેન્દ્રીય એજન્સીઓ અનુસાર, 30-35 આતંકવાદીઓ સ્થાનિક છે અને બાકીના વિદેશી આતંકવાદીઓ છે. ગયા મહિને જ ડીજીપી દિલબાગ સિંહે કહ્યું હતું કે અમે આતંકની ઈકો સિસ્ટમને ચારે બાજુથી ઘેરી લીધી છે. ભલે તે પથ્થરબાજો પર કાર્યવાહી હોય કે અલગતાવાદીઓ પરની કાર્યવાહી હોય, ફાઇનાન્સરો પરની કાર્યવાહી હોય કે સરહદ પારથી ડ્રોન દ્વારા આવતા હથિયારો જપ્ત કરવાની હોય. પોલીસ અને સુરક્ષા દળોએ આતંકવાદને ઘણી હદ સુધી કાબૂમાં લેવામાં સફળતા મેળવી છે. જ્યાં વર્ષ 2017 થી જ્યારે આતંકવાદીઓની સંખ્યા 350 હતી, હવે તેમની સંખ્યા ઘટીને બે આંકડામાં આવી ગઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh