બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / search operation Rashtriya Rifles and the Jammu and Kashmir Police and other security forces killed four terrorists

BREAKING / જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, પૂંછમાં એકસાથે 4 આતંકીઓને ઢાળી દીધા

Pravin Joshi

Last Updated: 09:53 AM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઠાર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આ અથડામણ પૂંચના સિંધરા વિસ્તારમાં થઈ હતી.

  • જમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી 
  • સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઠાર કર્યા 
  • સેના અને આતંકીઓ વચ્ચે સિંધરા વિસ્તારમાં થઈ હતી અથડામણ 


જમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઠાર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે આ અથડામણ પૂંછના સિંધરા વિસ્તારમાં થઈ હતી. સુરક્ષા દળોને સોમવારે સાંજે સિંધરા વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રે 11.30 વાગ્યાની આસપાસ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર પણ થયો હતો. આ પછી આખી રાત આતંકીઓને ઘેરીને નજર રાખવામાં આવી હતી.

 

આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થઈ હતી અથડામણ

મંગળવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફરી ગોળીબાર શરૂ થયો હતો. આ દરમિયાન સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા હતા. હજુ સુધી આતંકીઓની ઓળખ થઈ શકી નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ આતંકવાદીઓ વિદેશી છે. આ પહેલા જૂન મહિનામાં સુરક્ષા દળોએ કુપવાડામાં પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. આ તમામ આતંકવાદીઓ વિદેશી નાગરિકો હતા.

આતંકીઓ માટે કાળ બની ભારતીય સેના, આતંકવાદીઓની સંખ્યામાં થયો ધરખમ  ઘટાડો,અત્યારસુધીનાસૌથી નીચલા સ્તરે પહોંચી સંખ્યા / Jammu Kashmir Terrorist  Count In Valley ...

ઘાટીમાં 50 આતંકીઓ સક્રિય 

હાલમાં ઘાટીમાં સક્રિય આતંકવાદીઓની સંખ્યા 50ની આસપાસ છે. આ સિવાય ઘાટીમાં હાલમાં 20-24 વિદેશી આતંકીઓ છે. કેન્દ્રીય એજન્સીઓ અનુસાર, 30-35 આતંકવાદીઓ સ્થાનિક છે અને બાકીના વિદેશી આતંકવાદીઓ છે. ગયા મહિને જ ડીજીપી દિલબાગ સિંહે કહ્યું હતું કે અમે આતંકની ઈકો સિસ્ટમને ચારે બાજુથી ઘેરી લીધી છે. ભલે તે પથ્થરબાજો પર કાર્યવાહી હોય કે અલગતાવાદીઓ પરની કાર્યવાહી હોય, ફાઇનાન્સરો પરની કાર્યવાહી હોય કે સરહદ પારથી ડ્રોન દ્વારા આવતા હથિયારો જપ્ત કરવાની હોય. પોલીસ અને સુરક્ષા દળોએ આતંકવાદને ઘણી હદ સુધી કાબૂમાં લેવામાં સફળતા મેળવી છે. જ્યાં વર્ષ 2017 થી જ્યારે આતંકવાદીઓની સંખ્યા 350 હતી, હવે તેમની સંખ્યા ઘટીને બે આંકડામાં આવી ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ