બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 09:37 PM, 1 January 2024
કોહરમ મચાવ્યા બાદ માંડ શાંત પડેલો કાળમુખો કોરોના વધુ એક વખત ડરામણું રૂપ ધારણ કરી રહ્યું છે. કોવિડ 19ના સતત વધી રહેલા કેસોને લઈ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવી સ્થિતિ વચ્ચે કોવિડના સબ-વેરિયન્ટ JN.1ના કેસ પણ વધી રહ્યા છે. તેવામાં આજે નવા વર્ષના પ્રારંભે સોમવારે તા.1 જાન્યુઆરીના રોજ, JN.1 કેસની કુલ સંખ્યા 196 પર પહોંચી ગઈ છે. INSACOG ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1 ના કુલ 196 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે.
ઓડિશામાં પણ આ નવા વેરિયન્ટનો કેસ આવી રહ્યો છે
INSACOG અનુસાર વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં દેશના દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વાયરસના JN.1 પેટા પ્રકારોના કેસ મળી આવ્યા છે. ઓડિશામાં પણ આ નવા વેરિયન્ટનો કેસ આવી રહ્યો છે. આ સાથે ઓડિશા પણ તે રાજ્યોમાં સામેલ થઈ ગયું છે. જ્યાં JN.1 કેસ મળી આવ્યા છે.
કેરળમાં સૌથી વધુ નવા કેસ
ખાસ વાત એ છે કે કેરળમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કેરળમાંથી JN.1 ના 83 કેસ સામે આવ્યા છે. બાદમાં ગોવામાં 51, ગુજરાતમાં 34, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 2 અને ઓડિશા અને દિલ્હીમાં એક-એક કેસ સત્તાવાર સામે આવ્યા છે.
5.3 લાખથી વધુ લોકોના મોત
JN.1 પ્રકારના કેંસો સતત વધી રહ્યા છે. ડિસેમ્બરમાં દેશભરમાં નોંધાયેલા કુલ કોવિડ કેસમાંથી, JN.1 પ્રકાર 179 કેસો નોંધાયા છે. જ્યારે નવેમ્બરમાં 17 કેસ નોંધાયા હતા. આજે આરોગ્ય મંત્રાલયના જણાવાયા અનુસાર ભારતમાં કોવિડ -19 ના 636 નવા કેસ નોંધાયા છે. આ જેમાં એક્ટિવ કેંસની સંખ્યા વધીને 4,394 થઈ ગઈ છે. જ્યારે બે કેરળ અને એક તમિલનાડુના સહિત અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. જાન્યુઆરી 2020 માં દેશમાં કોવિડ -19 ફાટી નીકળ્યા પછી, અત્યાર સુધીમાં 4.50 કરોડ (4,50,13,908) કેસ નોંધાયા છે. લગભગ ચાર વર્ષમાં આ વાયરસને કારણે દેશભરમાં 5.3 લાખથી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh