બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 03:21 PM, 25 July 2023
Sawan 2023: શ્રાવણ મહિનાના દેવોના દેવ મહાદેવ એટલે ભગવાન શિવને સમર્પિત છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. દરિદ્રતાનો યોગ પણ વિશેષ પ્રયોગો દ્વારા નષ્ટ કરી શકાય છે. એવા ઘણા લોકો છે જેઓ આર્થિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. જો તે લોકો શ્રાવણ મહિનામાં કેટલાક ઉપાય કરે તો આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. આવો જાણીએ તે ઉપાયો વિશે....
કેવી રીતે થશે આર્થિક સ્થિતિ મજબૂત?
શ્રાવણ મહિનાની સાંજે મંદિરમાં જઈને ભગવાન શિવને જળ અર્પણ કરો. આ પછી ત્યાં બેસીને ઓછામાં ઓછા 108 વાર શિવના પંચાક્ષર મંત્રનો જાપ કરો. મંત્ર છે- नमः शिवाय. ત્યારબાદ મા લક્ષ્મીના મંત્રનો જાપ કરો. મંત્ર છે- ‘ॐ श्रीं ह्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मयै नम:’. સાંજે પહેલા ભગવાન શિવની આરતી કરો અને પછી મનલક્ષ્મીની આરતી કરો. ત્યારબાદ મહાદેવ અને મા લક્ષ્મીને ધન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો.
આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ દૂર થશે
શ્રાવણ મહિનાની સાંજે શિવજીને જળ અને બિલીપત્ર અર્પણ કરો. શિવજીને સફેદ મીઠાઈ ચઢાવો અને મા લક્ષ્મીને ખીર ચઢાવો. પહેલા શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરો. ત્યારબાદ મા લક્ષ્મીના વિશેષ મંત્રનો જાપ કરો. મંત્ર છે- ‘महालक्ष्म्यै च विद्महे विष्णुपत्न्यै चधीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्’. ત્યારબાદ ભોગનો પ્રસાદ વહેંચો. શ્રાવણના શુક્રવારના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ના બિલીના છોડ લગાવવાથી પણ ફાયદો થશે.
આર્થિક સંકટથી બચવા માટે કરો આ ઉપાય
શ્રાવણમાં શિવલિંગ પર જળ અર્પણ કર્યા બાદ શિવલિંગ પર સફેદ ચંદનનુ તિલક લગાવો. ત્યારબાદ મહાદેવને આંકડાનું ફૂલ અને મા લક્ષ્મીને કમળનું ફૂલ ચઢાવો. આ પછી "दारिद्रय दहन स्तोत्र" નો પાઠ કરો. આ પછી મા લક્ષ્મી ‘ऊं महालक्ष्मै नम:’ મંત્રનો 108 વાર જાપ કરો. દરરોજ રાત્રે ભગવાન શિવની સામે ઘીનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવ્યા પછી પણ સ્તોત્રનો પાઠ કરો અને આંગળીમાં તાંબાની વીંટી પહેરો.
દેવાની સમસ્યાથી છુટકારો
શ્રાવણમાં દરરોજ શિવલિંગ પર લાલ ફૂલ ચઢાવો. આ પછી ‘नमः शिवाय’ કહેતા શિવલિંગને જળ ચઢાવો. ત્યારબાદ મા લક્ષ્મીને લાલ ગુલાબનું ફૂલ ચઢાવો અને મીઠાઈનો ભોગ લગાવો. આ પછી, શિવલિંગની પરિક્રમા કરો અને દેવા મુક્તિ માટે બંને દેવતાઓને પ્રાર્થના કરો.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh