બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Bijal Vyas
Last Updated: 06:34 PM, 30 June 2023
Sawan 2023: હિંદુ ધર્મમાં ભગવાન શિવને વરદાન માનવામાં આવે છે, જે પ્રસન્ન થઈને જલ્દી જ પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. મહાદેવના આ સરળ સ્વભાવને કારણે તેમના ભક્તો તેમને ભોળાનાથ કહે છે. ભગવાન શિવની પૂજા તેમના પ્રિય મહિનામાં એટલે કે શ્રાવણ માસમાં કરવામાં આવે તો તે વધુ ઝડપથી ફળદાયી બને છે. હિન્દુ માન્યતા અનુસાર, શ્રાવણમાં અલગ-અલગ શિવલિંગની પૂજા કરવાથી અલગ-અલગ ફળ મળે છે. આવો. જાણીએ કે તમારી ઈચ્છા અને સુખ પ્રાપ્તિ અનુસાર કયા શિવલિંગની પૂજા કરવી જોઈએ.
ફૂલોનું શિવલિંગઃ
ફૂલોથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી સાધકને જમીન-મકાન અને પૈતૃક સંપત્તિ વગેરેની પ્રાપ્તિ થાય છે.
રુદ્રાક્ષ શિવલિંગઃ
હિંદુ માન્યતા અનુસાર જો શ્રાવણ મહિનામાં શિવની સૌથી પ્રિય વસ્તુ એટલે કે રૂદ્રાક્ષથી બનેલા શિવલિંગની પૂજા કરવામાં આવે તો સાધકને તમામ પ્રકારના પાપો, ભય અને દોષોથી મુક્તિ મળે છે અને શિવના આશીર્વાદ તેમના પર સતત વરસતા રહે છે.
પાર્થિવ શિવલિંગઃ
હિંદુ માન્યતા અનુસાર માટીથી બનેલું પાર્થિવ શિવલિંગ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માનવામાં આવે છે કે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી શિવના ઉપાસકને કરોડો યજ્ઞો બરાબર પણ્યફળ પ્રાપ્ત થાય છે.
પારદ શિવલિંગઃ
તમામ પ્રકારના શિવલિંગમાં પારદ શિવલિંગની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. માનવામાં આવે છે કે પારદ શિવલિંગની વિધિ-વિધાન અનુસાર પૂજા કરવાથી ભક્તને ખૂબ જ જલ્દી તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે.
સ્ફટિક શિવલિંગઃ
તમામ પ્રકારની ધાતુઓથી બનેલા શિવલિંગમાં સ્ફટિકનું શિવલિંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ સાધક સ્ફટિકથી બનેલા શિવલિંગની પૂજા કરે છે તો તેની આર્થિક સમસ્યાઓ ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે.
કપૂર શિવલિંગઃ
માનવામાં આવે છે કે જો કોઈ સાધક કપૂરથી બનેલા શિવલિંગની પૂજા કરે છે તો તેને શિવભક્તિના આશીર્વાદ મળે છે અને દેવોના દેવ મહાદેવ હંમેશા તેના પર કૃપાળુ રહે છે.
સુવર્ણ શિવલિંગઃ
શિવ સાધના માટે ભલે સોનાનું શિવલિંગ મેળવવું મુશ્કેલ છે, પરંતુ આવા શિવલિંગની પૂજા સાધકના જીવનમાં ધન-ધાન્યની વૃદ્ધિ કરનાર પણ માનવામાં આવે છે.
ચાંદીનું શિવલિંગઃ
ચાંદીથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી સાધક પર શિવની વર્ષા સાથે ચંદ્રદેવના આશીર્વાદ મળે છે. આવા શિવલિંગની પૂજા કરવાથી તેની તમામ માનસિક પીડાઓ દૂર થાય છે.
મિશ્રીથી બનેલું શિવલિંગઃ
હિંદુ માન્યતા અનુસાર મિશ્રીથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી સાધકને સ્વાસ્થ્ય લાભ થાય છે અને તેના પરિવારમાં પ્રેમ અને સંવાદના રહે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir