બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / વડોદરા / Saukat Sheikh statement regarding the boat capsize in Harani Lake in Vadodara
Vishal Khamar
Last Updated: 08:50 PM, 19 January 2024
વડોદરામાં હરણી લેકમાં બોટ દુર્ઘટના મામલે 13 વર્ષની સુફિયા સૌકત શેખનુ નિવેદન સામે આવ્યું છે. પહેલા અમને વોટર પાર્કમાં લઈ ગયા. ત્યાર પછી બોટિંગ કરવા લઈ ગયા હતા. બે રાઉન્ડ સારી રીતે બોટિંગ થયું હતું. જે બાદ ત્રીજા રાઉન્ડમાં 31 લોકોને બોટમાં જબરજસ્તીથી બેસાડ્યા હતા. બોટમાં ક્ષમતા કરતા વધુ બેસાડતા બોટે પલટી મારી હતી. થોડાક લોકો પાસે જ લાઈફ જેકેટ હતા. મારી બહેને પણ લાઈફ જેકેટ પહેર્યું હતું પણ તરતાં ન આવડતા મૃત્યું પામી હતી. હું પાણીમાં શરૂઆતમાં હોશમાં હતી. બાદમાં બેભાન થઈ ગઈ હતી. જે બાદ મને મારી મિત્રએ મને બચાવી હતી. મારી બહેનને પાણીમાંથી નીકાળીને બહાર ફેંકી દીધી, કોઈએ મદદ ન કરી.
'ઘરનો સભ્ય ગુમાવ્યા તે મોટું દુ:ખ છે'
આ ગોઝારી ઘટનામાં 17ના મોત થયા છે, જેમાં મૃતક શિક્ષિકા ફાલ્ગુની બેનના સ્વજન સાથે VTV NEWSએ વાતચીત કરી હતી. તેમના પરિવારજનોએ આસું ભીની આંખે કહ્યું કે, ઘરનો સભ્ય ગુમાવ્યા તે મોટું દુ:ખ છે, જવાબદાર સામે પગલાં લેવા જોઇએ. તેમણે કહ્યું કે, આજે અમારા મોટી દુખની ઘડી છે વધુ કહી શકીએ તેમ નથી. આપને જણાવીએ કે, 25 વર્ષથી ફાલ્ગુની બેન શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. મૃતક શિક્ષિકા ફાલ્ગુની બેનના ઘરે 2 બાળકો, પતિ અને સાસુ સસરા છે.મૃતકના એક પરિજને કહ્યું કે, તંત્રની બેદરકારી કહી શકાય આજે બાળકો મા વિનાના થઇ ગયા
કાઉન્સિલર જાગૃત્તિબેનનું નિવેદન
કાઉન્સિલર જાગૃત્તિબેનએ જણાવ્યું છે કે, અમારી ગઈકાલે કોર્પોરેશનની બેઠક હતી પરંતુ દૂર્ઘટનાના પગલે તે બેઠક મૂલતવી રાખી હતી, તમામ હોદ્દેદારો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, આ હોસ્પિટલ મારા વિસ્તારમાં આવે છે ત્યારે અહીં પોસ્ટમાર્ટમને લઈ મને જવાબદારી સોંપાઈ છે. મૃતકોના પરિવારજનો પર દુખ આવ્યો છે, જેમને સહન કરવાની ભગવાન શક્તિ આપે પરંતુ તેમને હવે કંઈ તકલીફ ન પડે તેને લઈ કામગીરી કરાઈ રહી છે. તેમણે કહ્યું કે, ગઈકાલ જ ગૃહમંત્રી તપાસના આદેશ આપી દીધા છે. આ મુદ્દે રાજ્ય સરકાર ગંભીર ચિતિત પણ છે. તેમણે કહ્યું બોટમાં કેટલા લોકોને બેસાડવા તે તમામ એડવાઈઝરી આ લોકોને જણાવેલી છે, પરંતુ ક્યાં કારણોસર આ બોટ ઓવરલોડ કરી તે ખબર નથી.
પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
આ સમગ્ર મામલે ન્યુ સનરાઈઝ સ્કુલ બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. સ્કૂલની નીચે રહેતા પ્રિન્સિપાલના મકાન બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, અત્રે જણાવી કે, આ સ્કૂલમાં kG થી લઈને 12 કોમર્સ સુધીનો અભ્યાસ કરવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir