બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Sarfaraz scolded by Rohit Sharma for not wearing a helmet, know why the captain is being praised on the media
Last Updated: 09:08 PM, 25 February 2024
ઇંગ્લેંડ સામેની હાલ ચાલી રહેલી ટેસ્ટમેચના ત્રીજા દિવસનો એક વીડિયો સો.મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.. જેમાં કેપ્ટન રોહિત શર્મા સરફરાજને હેલમેટ ન પહેરવા પર ઠપકો આપી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે ત્રીજા દિવસે સિલી પોઈન્ટ પર ફિલ્ડિંગ કરતી વખતે સરફરાઝ ખાને હેલ્મેટ પહેર્યું ન હતું. આ પછી રોહિત શર્માએ સરફરાઝને કહ્યું કે ભાઈ, હીરો નથી બનવું. ત્યારબાદ ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહેલા કે.એસ. ભરત સરફરાઝ માટે હેલ્મેટ લઇને આવ્યો.. આ પછી કોમેન્ટેટરે પણ કહ્યું કે આ રોહિત શર્માની સ્ટાઈલ છે. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે કહ્યું છે કે આપણને આપણા જીવનમાં રોહિત ભૈયાની જરૂર છે.
ADVERTISEMENT
છેલ્લી મેચમાં ડેબ્યૂ કર્યું હતું
સરફરાઝ ખાને ટીમ ઈન્ડિયા માટે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે છેલ્લી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. તેણે આ મેચમાં શાનદાર ફિલ્ડિંગ કરી હતી. તેણે બેન ડકેટ અને ટોમ હાર્ટલીના કેચ પકડ્યા. સરફરાઝ છેલ્લા કેટલાક સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો અને તેણે ઘણા રન બનાવ્યા હતા. આ પછી તેને ટીમ ઈન્ડિયામાં તક મળી. તેણે 46 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 4062 રન બનાવ્યા છે જેમાં 14 સદી સામેલ છે.
ADVERTISEMENT
સ્પિનરોએ તમામ 10 વિકેટ લીધી
ADVERTISEMENT
ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં ભારતીય ટીમના સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડની ટીમ સ્પિનરો સામે ટકી શકી ન હતી અને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય સ્પિનરોએ ઇંગ્લેન્ડ સામેની બીજી ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને 5 વિકેટ પોતાના નામે કરી હતી. આ સાથે તે ઘરઆંગણે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર બની ગયો છે. જ્યારે કુલદીપ યાદવે પોતાના ખાતામાં 4 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી. સ્પિનરોના કારણે જ ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.